જિલ્લામાં E-shram portal પર નોંધાયેલ કામદારો/શ્રમિકોને પાત્રતા મુજબનું રેશનકાર્ડ ઇસ્યુ કરી શકાય તે માટે સંબંધિત મામલતદાર કચેરીની પુરવઠા શાખાનો સંપર્ક કરવો
December 17, 2023
0
સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, સુરેન્દ્રનગર જિલ્લામાં E-shram portal પર નોંધાયેલ કામદારો/ શ્રમિકો કે જેઓ કોઈ પણ પ્રકારનું રેશનકાર્ડ ધરાવતા નથી તેમજ NOn-NFSA રેશનકાર્ડ (અનાજ ન મળતું હોય તેવું રેશનકાર્ડ) ધરાવતા કામદારો/શ્રમિકોને પાત્રતા મુજબનું રેશનકાર્ડ ઇસ્યુ કરી શકાય તે હેતુસર તેઓને સંબંધિત તાલુકા મામલતદાર કચેરીની પુરવઠા શાખાનો સંપર્ક કરી જરૂરી આધાર-પુરાવાઓ તાત્કાલિક દિન-૫માં પુરા પાડવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Share to other apps