શહેરના મુખ્ય રાજમાર્ગો પર લોક જાગૃતિ અને વીજળી બચાવોના સૂત્રો સાથે રેલી કાઢવામાં આવી

0
સુરેન્દ્રનગરમાં રાષ્ટ્રીય ઉર્જા બચાવ પર્વની ઉજવણી ચાલી રહી છે, ત્યારે PGVCL સુરેન્દ્રનગર વીજ વર્તુળ દ્વારા શહેરના મુખ્ય રાજમાર્ગો પર ઉર્જા બચત રેલી કાઢવામાં આવી હતી. લોક જાગૃતિ અને વીજળી બચાવોના સૂત્રચારો અને પ્લે બોર્ડ બેનર દ્વારા લોક જાગૃતિ માટે રેલી કાઢવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પી.જી.વી.સી.એલ., વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર જે.બી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય સરકારના ઊર્જા સંરક્ષણ સપ્તાહ કાર્યક્રમ હેઠળ ધ્રાંગધ્રા શહેરની શીશુકુંજ એમ.એમ.શાહ વિદ્યાલય ખાતે પીજીવીસીએલ., ધ્રાંગધ્રા વિભાગીય કચેરી દ્વારા ઊર્જા બચત અને સલામતી થીમ પર નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપી ઊર્જા સંરક્ષણનું મહત્વ સમજાવવા આવ્યું હતું. ઊર્જાની બચત કરવા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામા આવ્યું હતું.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top