ઝાલાવાડમાં 10 લાખ પશુપાલકો પૈકી દુધાળા પશુઓને પોષણક્ષમ આહાર જરૂરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 1.25 લાખ પશુપાલકોના ગાય અને ભેસ જેવા દુધાળા પશુઓથી 6થી7 લાખ લીટર દૂધ સુરસાગર ડેરીમાં જમા કરાવે છે.
ત્યારે સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઈ સભાડ, ડેરીના એમ.ડ. ગુરૂદત્તસિંહના માર્ગદર્શન હેઠળ સુરસાગર દાણનું લોંચીંગ કરાયુ હતુ. જેમાં અલગ અલગ ચાર ભાવની ચાર પ્રકારની પ્રોડક્ટ નક્કી કરાઈ છે. આ ભાવો બજારભાવ કરતા રાહતરૂપ બને તેવા પ્રયત્નો કરાયા છે. ડેરીના ચેરેમેને જણાવ્યુ કે સુરસાગર દાણ 50 કિ.ગ્રા.ના 1110 ના ભાવે જ્યારે સુરસાગર પ્લસ 50 કિ.ગ્રા.ના 1210ના ભાવ મંડળીઓને આપવામાં આવશે.