સુરેન્દ્રનગર જીલ્લા પોલીસે ધ્રાંગધ્રાના કુડાના બાલા હનુમાન મંદિરના પૂજારીની મર્ડર વીજ લૂંટના આરોપીને ઝડપી પાડયા

0
સુરેન્દ્રનગર જીલ્લામાં તાઃ૨૯/૦૯/૨૦૨૩ ના રોજ રાત્રીના દોઢ થી બે વાગ્યાના અરસામા ચાર અજાણ્યા તુટક તુટક ગુજરાતી તથા હીન્દી ભાષા બોલતા ઇસમો ધાંગધ્રા તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં કુડા ચોકડી પાસે આવેલા બાલા હનુમાનજીના મંદરીમા લાકડાના ધોકા તથા તીક્ષ્ણ પ્રાણધાતક હથિયારો સાથે લુંટ કરવાના ઈરાદે રાત્રીના સમયે મંદીરમા ગુનાહીત અપપ્રવેશ કરી મરણજનાર મંદીરના પુજારીને ગાળો આપી મોઢાના ભાગે તથા છાતીના ભાગે તેમજ શરીરના અન્ય ભાગો ઉપર આડેધડ માર મારી મોત નિપજાવી તથા મુંઢમાર,કપાળના તેમજ શરીરના અન્ય ભાગોમા લાકડાના ધોકાવતી માર મારી મુંઢ ઈજાઓ કરી મોબાઈલને તેમજ રૂમમા તથા રસોડામા પડેલ સામાનને નુકશાન કરી ભોગ બનનારનો આસુષ કંપનીની મોબાઇલ ફોન કિ.રૂ. ૨૦૦૦ તથા ચાંદીનુ કડુ-૧ કિ.રૂ. ૩૦૦૦ તથા ચાંદીની વીટી નંગ-૨ કિ.રૂ. ૧૦૦૦ કુલ કિ.રૂ.૬૦૦૦ ની લુંટ કરેલનો બનાવ બન્યો હતો.
ત્યારે આ બનાવમાં સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.ગીરીશ પંડયાએ નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહીત ધ્રાંગધ્રા ડીવિઝન, એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ત્રિવેદી, એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.જાડેજા, ધ્રાંગધ્રા તાલુકા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.જે.જાડેજાનાઓની સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ બનાવી હતી. આ ગૂન્હાને ડીટેકટ કરવા અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળની આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરી શંકાસ્પદ ઇસમોની તપાસ તેમજ પરપ્રાંતીય મજુરોની ચકાસણી કરવામાં આવેલ હતી અને ટીમો દ્વારા શકમંદોની પુછપરછ કરી ખાનગી બાતમીદારો દ્વારા માહિતી મેળવી ગુન્હો ડીટેક્ટ કરવા માટે પ્રયત્નો કરવામાં આવેલ. જે અન્વયે તપાસ દરમ્યાન બનાવ સ્થળની આજુબાજુના તમામ ખેતરો, ફેકટરીઓ વિગેરે જગ્યાએ ટીમ વાઇઝ તપાસ પુછપરછ કરવામા આવેલ તેમજ પરપ્રાંતીય તથા સ્થાનિક શંકાસ્પદોની પુછપરછ કરવામા આવેલ હતી.
સઘન તપાસ દરમ્યાન નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહીતને ખાનગી રાહે ચોકકસ બાતમી હકીકત મળેલ કે, ધાંગધ્રા તાલુકના કુડા વાડી વિસતારમાં આવેલ પરાક્રમસિહ દરબારની વાડીમા મજુરી કરતા સુમલાભાઇ ઉર્ફે સુમલો મનીયા ડામોર મુળ રહે, રહે.પાનમ, તા.ધાનપુર, જી.દાહોદ તથા વિપુલ અરવિદભાઇ પરમાર મુળરહે, રહે.લીમડી મેંદરી, નિશાળ ફળીયુ, તા.ધાનપુર, જી.દાહોદ હાલ બન્ને રહે.કુડા સીમવિસ્તાર, તા.ધ્રાંગધ્રા વાળાએ સદર ગુન્હો અન્ય ઇસમો સાથે મળી કરેલ છે. ત્યારે વાડી ઉપર ઇસમો છે તેવી ચોકકસ બાતમીના આધારે એલ.સી.બી.,એસ.ઓ.જી. અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા તપાસ કરતા ધ્રાંગધ્રા તાલુકાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.જે.જાડેજાએ વાડી ઉપર જઇ બંન્ને ઇસમોને રાઉન્ડ અપ કરી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન લાવી યુકિત પ્રયુકિત પુર્વક ગુન્હાની બંન્ને ઇસમોએ સઘન પુછ પરછ દરમ્યાન ભાંગી પડી ગૂન્હાને અંજામ આપેલની કબુલાત કરતા બંન્ને ઇસમને સદર ગૂન્હા કામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ કામગીરીમાં જે.ડી.પુરોહીત, ડી.વાય.એસ.પી. ધાંગધ્રા ડીવિઝન, એલ.સી.બી. સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ત્રિવેદી તથા એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.જાડેજા, ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.જે.જાડેજા, એલ.સી.બી.પોલીસ સબ ઇન્સ્પેકટર જી.એસ.સ્વામી, પોલીસ સબ ઇન્સ.એમ.એ.સૈયદ ધાંગધ્રા તાલુકા પો.સ્ટે.તથા એ.એસ.આઇ એસ.વી.દાફડા, એચ.સી.પરીક્ષીતસિહ એન.ઝાલા, પો.કોન્સ. દશરથભાઇ ઘાંઘર એલ.સી.બી. સુરેન્દ્રનગર તથા પો.કોન્સ. મહાવીરસિહ રાઠોડ, પો.કોન્સ. જયરાજસિહ, ડ્રા.પો.કોન્સ. ચેહરભાઇ, ડ્રા.પો.કોન્સ. બલભદ્રસિહ એસ.ઓજી.શાખા તથા પો.કોન્સ.હરદીપસિહ ઝાલા પેરોલ સ્કોડ સુરેન્દ્રનગર તથા એ.એસ.આઇ ફુલદીપસિહ ઝાલા, એચ.સી. શકિતસિહ ઝાલા, એચ.સી. સોએબભાઇ મકરાણી નાયબ પોલીસ અધિક્ષક કચેરી, ધાંગધ્રા તથા પો.કોન્સ.મયુરભાઇ ચાવડા, પો.કોન્સ.નરેશભાઇ ભોજીયા, પો.કોન્સ. નિલેષકુમાર પિત્રોડા, પો.કોન્સ. પ્રવિણભાઇ કાનાણી, પો.કોન્સ. મુળરાજસિહ સોલંકી,પો.કોન્સ. વિક્રમભાઇ રબારી, પો.કોન્સ. હીરેનભાઇ રમેશભાઇ, પો.કોન્સ.વનરાજસિહ રતનસિહ ધાંગધ્રા તાલુકા પો.સ્ટે. એ રીતેની ટીમ દ્વારા સદરહુ ચકચાર બાલા હનમુન મંદીરના પુજારીનો લુંટ વીથ મર્ડરનો અનડીટેકટ ગુન્હો શોધી આરોપીઓને પકડી પાડેલ હતા.
મહેશ સોલંકી.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top