એલસીબીની ટીમે સાબરમતી જેલમાંથી પેરોલ પર છૂટીને 15 માસથી ફરાર ઝડપાયો

0

એલસીબીની ટીમ લખતર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન વણા ગામના પાટિયા પાસેથી એક વ્યક્તિને અટકાવ્યા હતા. પોલીસે પૂછપરછ કરતા તે લખતરના ઇંગરોડી ગામનો સિરાજભાઇ રહીમભાઇ મલેક હોવાનું જણાવ્યું હતું. વધુ પૂછપરછમાં તેની સામે અગાઉ લખતર પોલીસ સ્ટેશનમાં 3 અને ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં 2 ગુનાઓ નોંધાયેલ છે તે બાબતે સાબરમતી જેલ અમદાવાદથી પેરોલ પર છૂટ્યા બાદ 15 માસથી ફરાર હોવાની કબૂલાત કરી હતી. આથી એલસીબી દ્વારા આરોપીની ધરપકડ કરી લખતર પોલીસને સોંપ્યો હતો. આ કાર્યવાહીમાં પી.આઇ.વી.વી ત્રિવેદી, પી.એસ.આઇ જી.એસ સ્વામિ, એઅસઆઇ એ.વી.દાફડા, હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહ, સાહિલભાઇ સહિતનાએ પ્રયત્નો કર્યા હતા.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top