રાષ્ટ્રીય અન્ન સુરક્ષા-કાયદો-૨૦૧૩ (N.F.S.A) હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓ જોગ સંદેશો:રેશનકાર્ડ ધારકો માટે જૂન મહિનાના વિતરણની મર્યાદા તા. પ જુન સુધી લંબાવાઈ:જિલ્લાના રેશનકાર્ડ ધારકો VCE, મામલતદાર, સસ્તા અનાજની દુકાને e-KYC કરાવી શકશે
સુરેન્દ્રનગર જિલ્લાના રેશનકાર્ડ ધારકો માટે જૂન મહિનાના ખાંડ તથા મીઠાના વિતરણની મર્યાદા તા. પ જૂન સુધી લંબાવવામાં આવી છે. જેની સંબંધિતોને નોંધ લેવા અનુરોધ કરતાં જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એ. જી. ગજ્જરે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા "રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ (NFSA) હેઠળ સમાવિષ્ટ તમામ રેશનકાર્ડ ધારકોને "પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના" અંતર્ગત મે-૨૦૨૫ માસમાં મે અને જુન-૨૦૨૫ માસનો ઘઉં તથા ચોખાનો જથ્થો તથા રાજયસરકાર તરફથી વિતરણ કરવામાં આવતા મે માસના ખાંડ અને મીઠાના જથ્થાનું વિતરણ મે માસમાં કરવામાં આવ્યું હતું. જુન મહિનાનું વિતરણ તા.૩૧/૦૫/૨૫ સુધીમાં કરવાનું હતું, જેની સમય મર્યાદા તા.૦૫/૦૬/૨૦૨૫ સુધી વધારવામાં આવી છે.
જિલ્લાના રેશનકાર્ડ ધારકો VCE, મામલતદાર, સસ્તા અનાજની દુકાને પણ e-KYC કરાવી શકે છે. જિલ્લામાં હાલ ૮૮.૯% e-KYC કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. બાકી રહેતા NFSA લાભાર્થીઓને વહેલીતકે e-KYC કરાવી લેવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ તાકીદ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય અન્ન સુરક્ષા-કાયદો-૨૦૧૩ (N.F.S.A) હેઠળ સમાવિષ્ટ રાજયના તમામ લાભાર્થીઓને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના" હેઠળ વિના-મૂલ્યે મળતા અનાજનો લાભ આપવા માટે રાજય સરકારશ્રી કટીબધ્ધ છે.