વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં યુવતીની દિનદહાડે છરીના ઘા મારી યુવકે હત્યા કરી:પોલીસે હત્યા અંગેનો ગુનો દાખલ

0
મૃતક યુવતીના પરિવારજનો સહિત સગા-સબંધીઓનું મોટી સંખ્યામાં શહેરની ગાંધી હોસ્પિટલે દોડી આવ્યા 
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં એક યુવતીની દિનદહાડે જાહેર છરીના ઉપરા છાપરી 8 થી 10 જેટલા છરીના ઘા મારી યુવકે ક્રૂર હત્યા કરી હતી. સરકારી ગાંધી હોસ્પિટલ લઈ જતા યુવતીને હાજર ડોક્ટરે મૃત જાહેર કરી હતી.
આથી યુવતીની ઘાતકી હત્યા કર્યાં બાદ યુવક ફરાર થઇ ગયો હતો. આ ઘટના વઢવાણ પોલીસને માહીતી મળતા ઘટના સ્થળે પહોંચી પંચનામું કરીને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધી હોસ્પિટલે ખસેડાઇ હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. 
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પાયલ સોલંકી કારખાનામાં કામ કરવા જઈ રહી હતી, ત્યારે તેના પર આમાં રાઠોડ નામના યુવકે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતાં મૃતક યુવતીના પરિવારજનો સહિત સગા-સબંધીઓનું મોટી સંખ્યામાં શહેરની ગાંધી હોસ્પિટલે દોડી આવી
હત્યારો ના પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર પણ કર્યો હતો. હત્યાનાં ગણતરીના કલાકમાં જ હત્યાનાં આરોપી અમન નથુભાઈ રાઠોડને સુરેન્દ્રનગર પોલીસે દબોચી પાડયો હતો. આથી બાદમાં પરિવાર દ્વારા લાશનો કબજો લઈ અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી હતી
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top