સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા તા.૩૦/૦૫/૨૦૨૫ સુધી દર્શન વિદ્યાલય, રતનપર ખાતે બાળકો માટે નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૦૭ થી ૧૫ વર્ષના બાળકોને સવારના ૭ થી ૯ વાગ્યા સુધી પ્રશિક્ષિત કરવામાં આવે છે.
આ તકે જિલ્લા કો-ઓર્ડીનેટર શ્રી મોનિકાબેન ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજરોજ ઇસ્કોન મંદિર સુરેન્દ્રનગર થી ડોક્ટર નેહલ પાવરા, વીજ શ્રેષ્ઠ પ્રભુ, સચિન કુમાર પ્રભુ, હર્ષગોવિંદદાસ, પ્રભુ દ્વારા ભાગવત ગીતાના શ્લોકનું જ્ઞાન તથા તેનો મહિમા અને સત્સંગનો બાળકોને લાભ આપીને ગુરુકુળ પરંપરાથી અવગત કરાવવામાં આવ્યા હતાં. આ સમર કેમ્પમાં જિલ્લાના વધુમાં વધુ બાળકો જોડાય તેવો જિલ્લા કો-ઓર્ડીનેટર શ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ તકે જિલ્લા કો-ઓર્ડીનેટર શ્રી મોનિકાબેન ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજરોજ ઇસ્કોન મંદિર સુરેન્દ્રનગર થી ડોક્ટર નેહલ પાવરા, વીજ શ્રેષ્ઠ પ્રભુ, સચિન કુમાર પ્રભુ, હર્ષગોવિંદદાસ, પ્રભુ દ્વારા ભાગવત ગીતાના શ્લોકનું જ્ઞાન તથા તેનો મહિમા અને સત્સંગનો બાળકોને લાભ આપીને ગુરુકુળ પરંપરાથી અવગત કરાવવામાં આવ્યા હતાં. આ સમર કેમ્પમાં જિલ્લાના વધુમાં વધુ બાળકો જોડાય તેવો જિલ્લા કો-ઓર્ડીનેટર શ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.