ચોટીલા તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાઈ, પડતર પ્રશ્નોનો નિવેડો લવાયો

0
ચોટીલા તા. ૦૩/૦૫/૨૦૨૫ ના રોજ નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી ચોટીલા એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અગાઉથી પડતર રહેલા જુદા જુદા ૬ પ્રશ્નોનું સફળતાપૂર્વક નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન નાયબ કલેકટરશ્રીએ તમામ અધિકારીઓને લોકાભિમુખ વહીવટ, પારદર્શિતા અને લોકોને ન્યાય મળે તે દિશામાં કાર્ય કરવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, બેઠકમાં આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી, પુરવઠા અને ફોરેસ્ટ વિભાગોને લગતા વિવિધ પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચાના અંતે આંતરિક પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
આ બેઠકમાં મામલતદારશ્રી ચોટીલા, નાની મોલડીના પોલીસ ઇન્સ્પેકટરશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી ચોટીલા સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકાના વિકાસ અને લોકોની સમસ્યાઓના નિવારણ માટે આ બેઠક ખૂબ જ ફળદાયી રહી હતી.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top