દેશમાં પ્રવર્તતી હાલની પરિસ્થિતિને અનુસંધાને લોકોમાં ખોટો ભય અને જાહેર વ્યવસ્થા ન ખોરવાય તે માટે સુરેન્દ્રનગર જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ શ્રી આર.કે.ઓઝા દ્વારા સમગ્ર જિલ્લામાં તમામ પ્રકારના ડ્રોન ઉડાડવા અને જાહેરમાં ફટાકડા ફોડવા તથા આતશબાજી ન કરવા પર પ્રતિબંધ ફરમાવતું એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામું તા.૨૩/૦૫/૨૦૨૫ સુધી અમલી રહેશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૩૩ મુજબ શિક્ષાપાત્ર થશે. જિલ્લાના હેડ કોન્સ્ટેબલ થી નાયબ પોલીસ અધિક્ષકશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરુદ્ધ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.