મિશન "અંત્યોદય"ના સંકલ્પને સાકાર કરવા અને ગ્રામીણ તથા શહેરી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની સુલભતા વધારવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા "આયુષ્માન ભવ: અભિયાન" શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સી.યુ. શાહ મેડિકલ કોલેજ દ્વારા નિ:શુલ્ક આયુષ્માન આરોગ્ય શિબિર અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં વિવિધ પ્રકારની આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી, જેમાં જનરલ OPD, માતા અને બાળ આરોગ્ય સેવાઓ, આંખ, કાન, નાક, ગળા, પેટને લગતી સેવાઓ, માનસિક રોગો, ચામડીના રોગો, લોહીની ઉણપ, તેમજ બિન-ચેપી રોગો જેવા કે હૃદયરોગ, ડાયાબિટીસ, હાય બ્લડ પ્રેશર, હાય કોલેસ્ટ્રોલ, લકવા (સ્ટ્રોક), કિડની રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં સી.યુ. શાહ મેડિકલ કોલેજ, સુરેન્દ્રનગરના નિષ્ણાંત તબીબી ડોકટરોની ટીમ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે સુરેન્દ્રનગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી જી. ગોહિલના માર્ગદર્શન હેઠળ સામુહિક આરોગ્ય કેન્દ્ર, સાયલાની આરોગ્ય ટીમ દ્વારા સવિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં વિવિધ પ્રકારની આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી, જેમાં જનરલ OPD, માતા અને બાળ આરોગ્ય સેવાઓ, આંખ, કાન, નાક, ગળા, પેટને લગતી સેવાઓ, માનસિક રોગો, ચામડીના રોગો, લોહીની ઉણપ, તેમજ બિન-ચેપી રોગો જેવા કે હૃદયરોગ, ડાયાબિટીસ, હાય બ્લડ પ્રેશર, હાય કોલેસ્ટ્રોલ, લકવા (સ્ટ્રોક), કિડની રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, મોંઢાના શંકાસ્પદ કેન્સર, સ્તન અને ગર્ભાશયના મુખના શંકાસ્પદ કેન્સરના નિદાન, સ્થૂળતા ધરાવતા લોકોની બોડી માસ ઈન્ડેક્ષ (BMI) તપાસ, પેપ સ્મીયર તપાસ, ECG અને જરૂરી લેબોરેટરી પરીક્ષણો તેમજ દવાઓ તદ્દન વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી.
આ કેમ્પમાં કુલ ૩૫૩ લાભાર્થી દર્દીઓ નોંધાયા હતા. જેમાં ફીઝીશીયન ઓપીડીમાં ૧૮૩, સ્ત્રીરોગ ઓપીડીમાં ૧૮, બાળરોગ ઓપીડીમાં ૨૪, જનરલ સર્જન ઓપીડીમાં ૨૪, કાન-નાક-ગળા ઓપીડીમાં ૮, આંખ રોગ ઓપીડીમાં ૧૦, માનસિક રોગ ઓપીડીમાં ૩, ચામડીના રોગો ઓપીડીમાં ૧૫, ઓર્થોપેડિક ઓપીડીમાં ૪૬, ડેન્ટલ ઓપીડીમાં ૨૨ જેટલા દર્દીઓએ લાભ મેળવ્યો હતો.
કેમ્પમાં કુલ ૮૩ ડાયાબિટીસ-બ્લડ પ્રેશર-બી.એમ.આઈ તપાસ, ગર્ભાશયના મુખના શંકાસ્પદ કેન્સરના ચિહ્નનોની ઓળખ માટે પેપ સ્મીયર તપાસ ૦૨ તથા હૃદય રોગ સંબંધિત ઇ.સી.જી. ૦૨ તેમજ અન્ય જરુરી લેબોરેટરી પરીક્ષણો કરવામાં આવ્યા હતા. વિવિધ તજજ્ઞ ઓપીડી ખાતે નોંધાયેલ શંકાસ્પદ કેસોને વધુ નિદાન અને સારવાર માટે રીફર પણ કરવામાં આવ્યા હતા.આ કેમ્પમાં સી.યુ. શાહ મેડિકલ કોલેજ, સુરેન્દ્રનગરના નિષ્ણાંત તબીબી ડોકટરોની ટીમ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે સુરેન્દ્રનગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી જી. ગોહિલના માર્ગદર્શન હેઠળ સામુહિક આરોગ્ય કેન્દ્ર, સાયલાની આરોગ્ય ટીમ દ્વારા સવિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.