સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગીરીશ પંડયાની સૂચનાઓનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે. તાજેતરમાં, 17મી મે, 2025ના રોજ ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે બનેલા ફાયરિંગના ગંભીર બનાવમાં પોલીસે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરી છે.
આ ઘટના બાદ, ડૉ. પંડયાએ એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ ફર્લો સ્કોડ અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસની સંયુક્ત ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા. જેના પરિણામે, પોલીસે ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી કનકસિંહ ભુપતસિંહ ઝાલા (રહે. કોંઢ)ને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો હતો.
પોલીસે કનકસિંહ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલ હથિયારનો પરવાનો પણ રદ કરાવી દીધો છે. કનકસિંહનો આર્મ્સ એક્ટ 1959ની કલમ 17 અન્વયે પરવાનો (નંબર: SNR-III-10-2003) 22મી મે, 2025થી રદ કરવામાં આવ્યો છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ નોંધપાત્ર છે, જેમાં તેની સામે ધ્રાંગધ્રા તાલુકા અને સીટી પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ગુનાઓ દાખલ થયેલા છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે ગંભીર ગુનાઓમાં ઝડપી અને કાયદેસરની કાર્યવાહી કરી ગુનેગારોને કાયદાનું ભાન કરાવ્યું છે.
આ ઘટના બાદ, ડૉ. પંડયાએ એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ ફર્લો સ્કોડ અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસની સંયુક્ત ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા. જેના પરિણામે, પોલીસે ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી કનકસિંહ ભુપતસિંહ ઝાલા (રહે. કોંઢ)ને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો હતો.
પોલીસે કનકસિંહ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલ હથિયારનો પરવાનો પણ રદ કરાવી દીધો છે. કનકસિંહનો આર્મ્સ એક્ટ 1959ની કલમ 17 અન્વયે પરવાનો (નંબર: SNR-III-10-2003) 22મી મે, 2025થી રદ કરવામાં આવ્યો છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ નોંધપાત્ર છે, જેમાં તેની સામે ધ્રાંગધ્રા તાલુકા અને સીટી પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ગુનાઓ દાખલ થયેલા છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે ગંભીર ગુનાઓમાં ઝડપી અને કાયદેસરની કાર્યવાહી કરી ગુનેગારોને કાયદાનું ભાન કરાવ્યું છે.