સુરેન્દ્રનગર-દુધરેજ હાઈવે પર નર્મદા કેનાલ પુલમાં ફરી ગાબડું, વાહનચાલકોમાં રોષ!

0
ટ્રાફિક પોલીસે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પુલ પર એક તરફનો રસ્તો બંધ કરી વાહનચાલકોને ફરજિયાત ડાયવર્ઝન લેવાનો આવ્યો વારો
સુરેન્દ્રનગર-દુધરેજ હાઈવે પર આવેલા નર્મદા કેનાલના પુલમાં ફરી એકવાર ગાબડું પડવાની ઘટના સામે આવી છે. આ પુલમાં ત્રીજી વખત ગાબડું પડ્યું હોવાથી વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હાઈવે પરથી દરરોજ હજારો નાના-મોટા વાહનો પસાર થતા હોવાથી આ ગાબડાના કારણે અકસ્માત થવાની સંભાવના પણ વધી ગઈ છે. ગાબડું પડવાની જાણ થતાં જ નર્મદા વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમારકામની કામગીરી શરૂ કરી દીધી છે. જો કે, વાહન વ્યવહાર ચાલુ રાખીને સમારકામ કરવું મુશ્કેલ બનતા ટ્રાફિક પોલીસે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પુલ પર એક તરફનો રસ્તો બંધ કરી દીધો છે.
આના કારણે વાહનચાલકોને ફરજિયાત ડાયવર્ઝન લેવું પડી રહ્યું છે. તેઓને આશરે દોઢ કિલોમીટર લાંબો વૈકલ્પિક માર્ગ લેવાની ફરજ પડી છે, જેના કારણે તેઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાહનચાલકો તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને પુલનું કાયમી સમારકામ કરવાની માંગ કરી રહ્યા છે, જેથી વારંવાર પડતા ગાબડાની સમસ્યાથી છુટકારો મળી શકે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top