હાઈવે પરથી દરરોજ હજારો નાના-મોટા વાહનો પસાર થતા હોવાથી આ ગાબડાના કારણે અકસ્માત થવાની સંભાવના પણ વધી ગઈ છે. ગાબડું પડવાની જાણ થતાં જ નર્મદા વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમારકામની કામગીરી શરૂ કરી દીધી છે. જો કે, વાહન વ્યવહાર ચાલુ રાખીને સમારકામ કરવું મુશ્કેલ બનતા ટ્રાફિક પોલીસે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પુલ પર એક તરફનો રસ્તો બંધ કરી દીધો છે.
આના કારણે વાહનચાલકોને ફરજિયાત ડાયવર્ઝન લેવું પડી રહ્યું છે. તેઓને આશરે દોઢ કિલોમીટર લાંબો વૈકલ્પિક માર્ગ લેવાની ફરજ પડી છે, જેના કારણે તેઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાહનચાલકો તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને પુલનું કાયમી સમારકામ કરવાની માંગ કરી રહ્યા છે, જેથી વારંવાર પડતા ગાબડાની સમસ્યાથી છુટકારો મળી શકે.