માળીયા શાખા નહેર હેઠળના બિનઅધિકૃત દબાણ દુર કરવા ખાતેદારો જોગ સંદેશ

0

પિયત માટેના માંગણા પત્રક તેમજ પીયાવો લાગુ પડતી કચેરીએ જમા કરાવવા માટે સૂચના

ચોમાસાને ધ્યાને લઈને નહેર કે નહેરને સંલગ્ન ડ્રેઈન/ વોકડામાં પાણી અવરોધાય તેવો માટીનો પાળો/ અન્ય આડસ કે દબાણ કરવા નહીં

વરસાદી પાણી ભરાવવાનો જો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો લાગતાં સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
કાર્યપાલક ઈજનેરશ્રી, સૌરાષ્ટ્ર શાખા નહેર વિભાગ નંબર ૨/૧, ધ્રાંગધ્રાનાં કાર્યક્ષેત્ર હેઠળ આવતી અને સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાંથી પસાર થતી સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડની માળીયા શાખા નહેર (ચે.૦.૦૦ કિ.મી થી ૧૩૭.૯૩ કિ.મી.)તેમજ તેમાંથી નીકળતી વિશાખા, પ્રશાખા વિગેરે નહેરોમાંથી સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરતાં ખાતેદારોને કાર્યપાલક ઇજનેર, સૌરાષ્ટ્ર શાખા નહેર વિભાગ નં.૨/૧, ધ્રાંગધ્રા દ્વારા વિવિધ સૂચનો કરવામાં આવ્યા છે.
સરકારશ્રીના આયોજન મુજબ તા. ૧૫/૦૫/૨૦૨૫થી સિંચાઈ માટે પાણી વહેવડાવવાનું શરુ કરવામાં આવશે, જે ધ્યાને લઇ પિયત માટેના માંગણા પત્રક તેમજ પીયાવો લાગુ પડતી કચેરીએ જમા કરાવવા માટે સૂચના આપવામાં આવે છે. જેથી પાણીના જથ્થાની માંગણી કરવા માટે આગોતરૂ આયોજન કરી શકાય તેની નોંધ લેવા જણાવવામાં આવે છે.
સુરેન્દ્રનગર તેમજ મોરબી જીલ્લામાંથી પસાર થતી નર્મદા નિગમ લિ.ની માળીયા શાખા નહેર ઉપર બિનઅધિકૃત રીતે મુકેલા મશીનો/ પમ્પો/ બકનળીઓ હટાવી/ ખસેડી લેવા તથા સ.સ.ન.નિ.લી.ની જમીન/ કેનાલો પર બિનઅધિકૃત રીતે કરેલા દબાણો પણ હટાવી લેવા. અન્યથા કાયદાકીય રીતે આ મશીનો/ પમ્પો/ બકનળીઓ પોલીસની મદદથી જપ્ત કરી દંડ કરવામાં આવશે તેમજ દબાણો દુર કરાવવામાં આવશે.
તેમજ આગામી ચોમાસાને ધ્યાને લઈને નહેર કે નહેરને સંલગ્ન ડ્રેઈન/ વોકડામાં પાણી અવરોધાય તેવો માટીનો પાળો/ અન્ય આડસ કે દબાણ કરવા નહીં. વરસાદી પાણી ભરાવવાનો જો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો લાગતાં સામે કાયદેસ
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top