વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તાની સિધ્ધનગર સોસાયટીમાં રહેતી 19 વર્ષની પાયલ ડાયાભાઇ સોલંકીને રવિવાર સવારે કામ ઉપર જતી રહી હતી તે દરમિયાન ગણપતિ ફાટસર કંકુપાર્કમાં રહેતો અમન નથુભાઇ રાઠોડે પાયલને શેરીના રસ્તામાં જ ઉભી રાખી ઉપરા અંદાજે છરીના ૧૫ ઘા મારીને હત્યા કરી દીધી હતી. આથી વઢવાણ પોલીસે આ બનાવની ગંભીરતા રાખી ગણતરીની કલાકોમાં હત્યાના આરોપી અમનને પોલીસે ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી.
ત્યારે હત્યારા અમને સમગ્ર ઘટના અંગે જણાવ્યું કે, પાયલે મને અપશબ્દ કહ્યો હતો આથી મેં તેને મારી નાંખી પાયલ અને અમન અંદાજે ૧૩ વર્ષ પહેલા કાલાકપાસ વિણવાના મજુરીકામમાંથી બંને પરિચયમાં આવ્યા હોવાની વિગતો જાણવા મળતી હતી. આથી પોલીસ ટીમે આરોપી અમનને કોર્ટમાં રજૂ કરતા ૮ દિવસના રિમાન્ડ સાથે વઢવાણ પીઆઈ એ.આર.પટેલ દ્વારા સમગ્ર બનાવની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ત્યારે હત્યારા અમને સમગ્ર ઘટના અંગે જણાવ્યું કે, પાયલે મને અપશબ્દ કહ્યો હતો આથી મેં તેને મારી નાંખી પાયલ અને અમન અંદાજે ૧૩ વર્ષ પહેલા કાલાકપાસ વિણવાના મજુરીકામમાંથી બંને પરિચયમાં આવ્યા હોવાની વિગતો જાણવા મળતી હતી. આથી પોલીસ ટીમે આરોપી અમનને કોર્ટમાં રજૂ કરતા ૮ દિવસના રિમાન્ડ સાથે વઢવાણ પીઆઈ એ.આર.પટેલ દ્વારા સમગ્ર બનાવની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.