શ્રી મોદીએ કહ્યું કે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને ભારતના સાહિત્યિક અને સાંસ્કૃતિક આત્માને આકાર આપવા માટે પ્રેમથી યાદ કરવામાં આવે છે. તેમના કાર્યો માનવતાવાદ પર ભાર મૂકે છે અને તે જ સમયે લોકોમાં રાષ્ટ્રવાદની ભાવનાને પ્રજ્વલિત કરે છે, શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું.
પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ. ભારતના સાહિત્યિક અને સાંસ્કૃતિક આત્માને આકાર આપવા માટે તેમને પ્રેમથી યાદ કરવામાં આવે છે. તેમના કાર્યો માનવતાવાદ પર ભાર મૂકે છે અને તે જ સમયે લોકોમાં રાષ્ટ્રવાદની ભાવનાને પ્રજ્વલિત કરે છે. શિક્ષણ અને શીખવા પ્રત્યેનાં તેમના પ્રયાસો, જે શાંતિનિકેતનનાં વિકાસમાં દેખાય છે, તે પણ ખૂબ જ પ્રેરણાદાયક છે.by PIB Ahmedabad