‘મેદસ્વિતા મુકત ગુજરાત’ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે સુરેન્દ્રનગરમાં નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન

0
‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અન્વયે જિલ્લામાં પાંચ સ્થળોએ યોજાનારા સમર યોગ કેમ્પ
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા તા.૧૬/૦૫/૨૦૨૫ થી તા. ૩૦/૦૫/૨૦૨૫ સુધી જુદા જુદા પાંચ સ્થળોએ બાળકો માટે નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૦૭ થી ૧૫ વર્ષના બાળકોને સવારના ૭ થી ૯ વાગ્યા સુધી પ્રશિક્ષિત કરવામાં આવશે. 
આ તકે જિલ્લા કો-ઓર્ડીનેટર શ્રી મોનિકાબેન ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ‘મેદસ્વિતા મુકત ગુજરાત’ અભિયાનને વેગવંતુ કરવા રાજ્યના વિવિધ વિસ્તારોમાં જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત બાળકો શાળાના વેકેશનનો સદુપયોગ કરી શકે તે આશયથી સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. 
બાળકોને સમર કેમ્પમાં જોડવા માટે અનુરોધ કરતા જણાવ્યું હતું કે, આ સમર યોગ કેમ્પમાં જોડાવવા માટે WWW.GSYB.IN લીંક પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. કેમ્પમાં પ્રશિક્ષિત ટ્રેનર અને કોચ દ્વારા બાળકોને યોગ, પ્રાણાયામ અને કસરતથી જીવનમાં નિયમિતતા, શિસ્ત, શારીરિક તંદુરસ્તી અને એકાગ્રતા કઈ રીતે કેળવી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત ટ્રેનર્સ દ્વારા બાળકોને પૌષ્ટિક આહાર આરોગવાથી શરીર અને મનને થતાં ફાયદાઓ અંગેની વિસ્તૃત માહિતી પણ આપવામાં આપશે. 
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top