આ દુર્ઘટનામાં ખાણ ખનીજ વિભાગના ત્રણ કર્મચારીઓને ઈજાઓ પહોંચી હતી.અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે ઘાયલોને સારવાર માટે લીંબડીની આર.આર. સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ હાલમાં ફરાર આઈશર ચાલકની શોધખોળ કરી રહી છે. પોલીસ આ અકસ્માત સંદર્ભે વધુ તપાસ હાથ ધરી રહી છે.