'આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ: ૨૦૨૫' અન્વયે "ગુજરાત સ્થાપના દિન" નિમિતે વિવિધ ધાર્મિક સ્થળોએ 'સ્વચ્છતા અભિયાન' અંતર્ગત સફાઈ કરવામાં આવી

0
આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-૨૦૨૫ની ઉજવણી સમગ્ર દેશભરમાં થઇ રહી છે. જેના ભાગરૂપે આજરોજ તા.૦૧લી મે, 'ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ' નિમિતે જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. તથા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે સુરેન્દ્રનગર જિલ્લાના કુલ-૧૬ મુખ્ય ધાર્મિક સ્થળો ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી નકટીવાવ મેલડી માતાજી મંદિર - વઢવાણ, શ્રી રામજી મંદિર - જોરાવરનગર, શ્રી લાલજી મહારાજની જગ્યા - દાઝીપરા-વઢવાણ, શ્રી મહાદેવ મંદિર પાંચ હાટડી - પાટડી, શ્રી હનુમાનજી મંદિર - ધ્રાંગધ્રા, શ્રી વિહોતમાં મંદિર - આદરિયાણા, શ્રી કોયલમાં મંદિર - દસાડા, શ્રી મહાદેવ મંદિર - લખતર, શ્રી ફુલેશ્વર મહાદેવ મંદિર - રાજસીતાપુર, શ્રી ઘનશ્યામ મંદિર - ધ્રાંગધ્રા, શ્રી સ્વામીનારાયણ મંદિર - હળવદ, શ્રી માંડવરાયજીદાદાનું મંદિર - મુળી, શ્રી સરવરીયા મહાદેવ મંદિર - સાયલા, શ્રી હનુમાનજી દાદાનું મંદિર - ચોટીલા, શ્રી શક્તિમાં મંદિર - લીંબડી તથા શ્રી હનુમાનજી મંદિર - ચુડા ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્વચ્છતા અભિયાનમાં જિલ્લા રજિસ્ટ્રાર કુ. કોમલ કે. ચૌધરી, જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. સી.ઇ.ઓ.શ્રી રઘુવીરસિંહ, ઈન્ચાર્જ એમ.ડી. શ્રી બલવાનસિંહ, જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના પૂર્વ ચેરમેનશ્રી બાબાભાઇ ભરવાડ સહિતના લોકો આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top