અહિલ્યાબાઈનો જન્મ ૩૧મે, ૧૭૨૫ના રોજ મહારાષ્ટ્રના હાલના અહમદનગર જિલ્લાના ચૌંડી ગામમાં થયો હતો. તેમના પિતા માન્કોજી શિંદે, બીડ જિલ્લાના ચૌદે ગામના એક આદરણીય ધનગર પરિવારના વંશજ અને પાટિલ (મુખી) હતા.તે સમયમાં સ્ત્રીઓને શિક્ષણ આપવામાં આવતું નહોતું, પરંતુ હિલ્યાબાઈના પિતાએ તેમને વાંચતાં-લખતાં શીખવ્યું હતુ. અહિલ્યાબાઈનું અવસાન ૧૩ ઓગસ્ટ ૧૭૯૫ના રોજ ૭૦ વર્ષની વયે થયું હતું. તેમના શાસનને ઇન્દોરના ઇતિહાસમાં સુવર્ણયુગ તરીકે યાદ કરવામાં આવે છે.
ત્યારે સુરેન્દ્રનગર પુણ્ય શ્લોક લોકમાતા અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય "નમો કમલમ" ખાતે એક ભવ્ય યુવક-યુવતી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજકોટ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી દર્શિતાબેન શાહની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં યુવાનોમાં અહલ્યાબાઈ હોલકરના આદર્શો અને કાર્યો વિશે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી.
આ અવસરે ધાંગધ્રા વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, દસાડા વિધાનસભાના ધારાસભ્ય પી.કે. પરમાર સહિત જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ અને ભાજપના કાર્યકર્તાઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ લોકમાતા અહલ્યાબાઈ હોલકરના સાહસ, દીર્ઘદ્રષ્ટિ અને પ્રજાલક્ષી કાર્યોને યાદ કર્યા હતા, અને યુવાનોને તેમના જીવનમાંથી પ્રેરણા લેવા આહ્વાન કર્યું હતું. આ સંમેલન યુવાનોમાં નેતૃત્વના ગુણો વિકસાવવા અને સામાજિક કાર્યો પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી યોજાયું હતું. આ કાર્યક્રમ સુરેન્દ્રનગર ભાજપ દ્વારા લોકમાતા અહલ્યાબાઈ હોલકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો એક પ્રેરણાદાયી પ્રયાસ હતો.