દસાડામાં આયુષ્માન ભવ સર્વ રોગ નિદાન કેમ્પ સફળ, ૨૫૮ દર્દીઓએ લાભ લીધો

0
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન ભવ સર્વ રોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ ૨૫૮ દર્દીઓએ વિવિધ રોગોની સારવારનો લાભ લીધો હતો.
સી.યુ.શાહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમે આ કેમ્પમાં સેવાઓ આપી હતી. આ ટીમમાં ફિઝિશિયન, બાળરોગ નિષ્ણાત, દંત ચિકિત્સક, હાડકાના રોગના નિષ્ણાત, સ્ત્રી રોગ નિષ્ણાત, સર્જન અને માનસિક રોગ ચિકિત્સક જેવા નિષ્ણાતો સામેલ હતા.કેમ્પ દરમિયાન ૭૮ દર્દીઓના લેબોરેટરી પરીક્ષણ અને ૧૭ દર્દીઓના ઇસીજી કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કેમ્પમાં આવેલા તમામ દર્દીઓને મફત દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
દસાડા-પાટડી-લખતરના ધારાસભ્ય પી.કે.પરમારે આ કેમ્પની મુલાકાત લીધી હતી અને આ આયોજનને બિરદાવ્યું હતું. આ ઉપરાંત, ગુજકોમાસોલના ડિરેક્ટર જેસીંગ ચાવડા અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રામ ચાવડાએ પણ કેમ્પની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ કેમ્પને સફળ બનાવવા માટે દસાડા સામુહિક આરોગ્ય કેન્દ્રના સમગ્ર આરોગ્ય સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. તેમના અથાગ પ્રયત્નોને કારણે આ કેમ્પ જરૂરિયાતમંદ લોકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થયો હતો.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top