પ્રદેશ કૉંગ્રેસ નેતાઓના સુરેન્દ્રનગર પહોંચ્યા હતા અને પાયાના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી

0

સુરેન્દ્રનગર જિલ્લામાં કૉંગ્રેસમાં ફેરફાર કરવા અંગેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે પ્રદેશ કૉંગ્રેસ નેતાઓના સુરેન્દ્રનગર પહોંચ્યા હતા અને પાયાના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. AICCના નિરીક્ષક કુલદીપ રાઠોડ તેમજ ૫ નિરીક્ષકોની ટીમ સુરેન્દ્રનગર પહોંચી હતી. સુરેન્દ્રનગર જિલ્લા કૉંગ્રેસ પ્રમુખની નિમણૂક માટે માહિતી મેળવવામાં આવી હતી. ત્યારે કૉંગ્રેસના પાયાના કાર્યકર્તાઓ સાથે બેઠકથી ટૂંકજ સમયમાં કૉંગ્રેસના સંગઠનમાં ફેરફારને એંધાણ વર્તાઈ રહ્યાં છે.!
ત્યારે થતી ચર્ચા મુજબ તાજેતરમાં રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ સંગઠન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા આગામી તા. ૨૯-૦૪-૨૦૨૫ થી ૦૧-૦૫-૨૦૨૫ દરમિયાન એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં AICC ના ઓબ્ઝર્વર કુલદીપ રાઠોર (ધારાસભ્ય-હિમાચલ પ્રદેશ), ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિરીક્ષકો સોનલબેન પટેલ, હરપાલસિંહ ચુડાસમા, રાજેશભાઈ જોશી, ડો. હેમાંગ ભાઈ વસાવડા, ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી, રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ અને જિલ્લા પ્રમુખ નૌશાદભાઈ સોલંકી સહિત સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં, પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ, બેઠકમાં આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠનને મજબૂત બનાવવા અને રણનીતિ ઘડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top