શ્રી કુંવરજી હળપતિની પ્રેરક ઉપસ્થિતિ
•મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે રૂ.૫૮ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ આઈ.ટી.આઈ ભાવનગર, પ્રતાપનગર અને દેવભૂમિ દ્વારકાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ
ગાંધીનગર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે રાજ્યના રોજગારવાન્છું યુવાનો માટે કૌશલ્યા –ધ સ્કિલ યુનિવર્સિટી તથા નર્મદા રૂરલ ડેવલોપમેન્ટ સોસાયટી, નેમટેક તેમજ અમદાવાદ કસ્ટમ બ્રોકર એસોસિએશન સાથે એમ.ઓ.યુ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત કેબિનેટ મંત્રીશ્રીના હસ્તે કૌશલ્યા –ધ સ્કિલ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ડ્રોન અંતર્ગત નવનિર્મિત ડ્રોન તાલીમ કેન્દ્ર બીલીમોરા અને માંડવી –સુરતનું લોકાર્પણ કરાયું હતું. મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે રૂ.૮૫ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ આઈ.ટી.આઈ ભાવનગર, પ્રતાપનગર અને દેવભૂમિ દ્વારકા નવનિર્મિત મકાનનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બામણીયા વર્ચ્યુલી તેમજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શ્રી કુંવરજી હળપતિ પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.