સુરેન્દ્રનગરમાં યુવા સન્માન સભા યોજાઈ, દલિત સમાજના યુવાનોનું સન્માન કરાયું

0
સુરેન્દ્રનગર: ભારત રત્ન ડૉ.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિની ઉજવણીના સપ્તાહમાં સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ કોલેજ ખાતે અનુસૂચિત જાતિ મોરચા દ્વારા યુવા સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ ગેડીયા અને રાજ્યસભાના સાંસદ શ્રી કેસરીદેવસિંહજી ઝાલાની અધ્યક્ષતામાં યોજાયેલી આ સભામાં દલિત સમાજના યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રી જગદીશભાઈ મકવાણા, દસાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી પી.કે.પરમાર તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ પ્રમુખ અને રાજકોટના પ્રભારી શ્રી પ્રકાશભાઈ સોની સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના પૂર્વ મહામંત્રીઓ, શહેર મંડલના અધ્યક્ષો, હોદ્દેદારો અને જિલ્લા મોરચાના કાર્યકર્તાઓએ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સભાના અધ્યક્ષો અને ઉપસ્થિત મહાનુભાવોએ ડૉ.બાબા સાહેબ આંબેડકરના જીવન અને કાર્યો પર પ્રકાશ પાડ્યો હતો અને યુવાનોને તેમના આદર્શોને અનુસરવા માટે પ્રેરિત કર્યા હતા. યુવા સન્માન સભામાં યુવાનોને સન્માનિત કરીને તેમના ઉત્સાહને બિરદાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા દલિત સમાજના યુવાનોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી આયોજિત કરવામાં આવ્યો હતો.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top