ચોટીલાના પરમ પૂજ્ય બ્રહ્માનંદ બાપુ આશ્રમ ખાતે શ્રી દ્વારિકાધીશ ટ્રસ્ટ રાજકોટ તથા ગણપતિ ફાટસર સમૂહ લગ્ન સમિતિ દ્વારા એક ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે જગત પ્રકાશ બાપુ, રામાશ્રયરબાપુ, દિવ્યાનંદજી મહારાજ અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા તથા દસાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી પી.કે. પરમાર અને વિનોદ ગીરીબાપુની પ્રેરણાદાયી ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ મહિમા બક્ષ્યો હતો.આ સમૂહ લગ્નમાં મા-બાપ વિનાની ૧૧ દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સમાજના શ્રેષ્ઠીઓ સર્વેશ્રી ગોરધનદાસ વાઘેલા, નથુભાઈ પરમાર, ડોક્ટર ડી. કે. વાઢેર, કાંતિલાલ ચૌહાણ, ગોવિંદ ભાઈ સુમેશરા, એન. કે. રાઠોડ, અશોક ભાઈ ચાવડા, વિનોદભાઈ મકવાણા સહિત સમાજના વરિષ્ઠ આગેવાનો, પ્રબુદ્ધ નાગરિકો અને મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ ઉપસ્થિત રહીને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા.
સંતો અને મહંતોના પાવન આશીર્વચન સાથે આ ૧૧ દીકરીઓને ખૂબ જ પ્રેમ અને સન્માન સાથે કરિયાવર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંબોધન કરતાં નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ ગણપતિ મંદિરના બગીચા માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
આ સમૂહ લગ્નના કાર્યક્રમને સંપૂર્ણ રીતે સફળ બનાવવા માટે ગણપતિ ફાટસર સમૂહ લગ્ન સમિતિના સભ્યો શ્રી માવજીભાઈ મકવાણા, વી. ટી. ચાવડા સાહેબ, પી. એમ. સોલંકી, હસુભાઈ વાઘેલા, લાલજીભાઈ પરમાર, નટુભાઈ વાણીયા અને સમિતિના અન્ય તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રાજુભાઈ સોલંકી અને ટી. એલ. સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું, જેણે ઉપસ્થિત સૌ કોઈના હૃદય જીતી લીધા હતા. આ સમૂહ લગ્ન સમાજમાં એકતા અને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું હતું.