વિકાસ વિદ્યાલય ટ્રસ્ટ વઢવાણ સંચાલિત શ્રીમતી એમ એમ શાહ કોલેજ ઓફ એજ્યુકેશન (બી.એડ કોલેજ) ખાતે બી.એડ કોર્સ પૂર્ણ કરનાર સેમેસ્ટર ચારના તાલીમાર્થીઓનો દીક્ષાંત સમારોહ તા.૧૧ એપ્રિલ-૨૦૨૫ શુક્રવારના રોજ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડો.ગમનભાઈ પટેલનો નિવૃત્તિ સમારંભ યોજાયો.
આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ કોકિલાબેન આચાર્ય, મંત્રી ભુપેન્દ્રભાઈ રાણા, મહેમાન તરીકે કોલેજના પૂર્વ તાલીમાર્થી અને હાલ સ્કીલ યુનિવર્સિટીના ડાયરેક્ટર જીજ્ઞેશભાઈ ટાપરિયા તેમજ જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિપુલભાઈ મહેતા ઉપરાંત મહંત ગીરિધરદાસબાપુ તેમજ ટ્રસ્ટમંડળના તમામ હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહયા હતા.
આ તકે શહેરની અન્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ, પૂર્વ વિદ્યાર્થીઓએ પણ હાજર રહી વિદાય લેતા વિદ્યાર્થીઓ તેમજ આચાર્યને શુભેચ્છા સંદેશ પાઠવેલ હતી. આ પ્રસંગે નિમિત્તે કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સંસ્થાને અદ્યતન સ્માર્ટબોર્ડ તેમજ વોટર કુલરની ભેટ આપી ડો ગમનભાઈને વિદાય શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.