ચોટીલા પ્રાંત મકવાણા નાયબ કલેકટર અને મામલતદાર થાનગઢની ટીમ રાત્રે રૂપાવટી નદી વિસ્તારમાં રાત્રેકાર્બોસેલ કાઢવાનો પ્રયત્ન કરતા ટીમે મુદ્દામાલની રકમ ૧૭ લાખ રૂપિયાનો તમામ મુદ્દામાલ જપ્ત કર્યો

0
બે સ્વરાજ ટ્રેક્ટર , બે જનરેટર ,એક ચરખી મામલતદાર કચેરી થાનગઢ ખાતે મૂકી આગળની કાયદેસરની કાર્યવાહી 
સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા પ્રાંત એચ.ટી.મકવાણા નાયબ કલેકટર અને મામલતદાર થાનગઢની ટીમ રાત્રે આખી રાત થાનગઢ તાલુકાના જુદાજુદા વિસ્તારોમાં ગેરકાયદેસર થતું ખનન સંપૂર્ણપણે બંધ કરવાના હેતુથી પેટ્રોલિંગમાં હાથ ધર્યું હતું.
આ દરમિયાન થાનગઢ તાલુકાના રૂપાવટી નદી વિસ્તારમાં રાત્રે ૩:૩૦(વહેલી સવારે) વાગ્યાની આસપાસ નદી વિસ્તારના પટમાં એક ચરખી ઉભી કરી અને કાર્બોસેલ કાઢવાનો પ્રયત્ન કરતા ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બે તદન નવા સ્વરાજ ટ્રેક્ટર, બે જનરેટર તેમજ એક ચરખી એમ મળીને કુલ મુદ્દામાલની રકમ ૧૭ લાખ રૂપિયાનો તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. 
જ્યારે બે સ્વરાજ ટ્રેક્ટર , બે જનરેટર ,એક ચરખી મામલતદાર કચેરી થાનગઢ ખાતે સવારે સાડા ચાર ૪:૩૦ વાગ્યે મૂકી તેમજ હાલ માલિક કોણ છે તેની તપાસ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top