સુરેન્દ્રનગર જિલ્લામા શીતળા માતાના મંદિરે ચૈત્રી વદ સાતમના પાવન દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે જોવા મળ્યા હતા. ત્યારે આ પવિત્ર દિવસે હિન્દુ સમાજમાં ઠંડુ ભોજન આરોગવાનું વિશેષ મહત્વ હોય છે અને ભક્તો શિતળા માતાજીના દર્શન અને પૂજન-અર્ચન કરવા માટે જતા હોય છે.
ત્યારે માન્યતા અનુસાર, પરિણીત મહિલાઓ ચૈત્રી વદ સાતમના દિવસે સવારે શીતળા માતાના દર્શન કર્યા બાદ જ પોતાના રોજિંદા કામકાજની શરૂઆત કરે છે. તેઓ પોતાના બાળકો અને પરિવારની તંદુરસ્તી અને લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે અને માતાજીની ભક્તિ કરે છે. ત્યારે વર્ષમાં બે દિવસ - શ્રાવણ વદ સાતમ અને ચૈત્રી વદ સાતમના દિવસે વિશેષ મહત્વ ધરાવે છે. ચૈત્રી વદ સાતમના દિવસે મંદિરે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.