સુરેન્દ્રનગરના દુધરેજથી ખમીસાણા સુધી રોડ બનાવવાનુ કામ ખાતમુહુર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દુધરેજ વડવાળા મંદિર ધામ દુધરેજ મહંત અને નાયબ મુખ્ય દંડકના હસ્તે ખાતમુહુર્ત કરાયુ હતુ.
સુરેન્દ્રનગર - વઢવાણ વિધાનસભા વિસ્તારને આધુનિક સુવિધા મળે તેવા આશ્રયથી બનાવવા દુધરેજથી ખમીસણા સુધીનો રોડ નિર્માણને મંજુરી મળી હતી. આથી દુધરેજ થી ખમિસાણા સુધી રૂ. બે કરોડના ખર્ચે નિર્માણ પામનાર રોડનું ખાતમુહુર્ત કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
આથી દુધરેજ વડવાળા મંદિર ધામના મહામંડલેશ્વર કનીરામ બાપુ, નાયબ મુખ્ય દંડક જગદીશભાઇ મકવાણા તેમજ કોઠારી મુકુંદરામ બાપુની સહ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયુ હતુ. આ પ્રસંગે આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત્ રહેતા તેમની સાથે સંવાદ સાધ્યો હતો.