CISFના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન” સુરત આવી પહોંચીઃ

0
ગુજરાતના કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપીને કન્યાકુમારી પહોંચશે-
૧૮મી માર્ચે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલૌતની હાજરીમાં સુરત ડાયમંડ બુર્સથી મોટી દમણ કિલ્લા તરફ સાયક્લોથોનની આગળની યાત્રાને લીલી ઝંડી આપશે 
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ) ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગ રૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન” આજે સુરત આવી પહોંચી હતી. CISF ના જવાનોને પ્રોત્સાહન પૂરું પાડવા અને રાષ્ટ્રસુરક્ષા માટે તેમનું યોગદાનને બિરદાવવા માટે શહેરના જહાંગીરપુરા ખાતે આવેલી પહોચેલી યાત્રાને સુરત પોલીસ વિભાગના અધિક પોલીસ કમિશનર ઝોન - 5ના રાકેશ બારોટ, સિનિયર કમાન્ડન્ટ કપિલ વર્મન અને સુરત એરપોર્ટના CISF કમાન્ડન્ટ કુમાર અભિષેક દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું. ગુજરાતના કચ્છના લખપતથી શરૂ થયેલી ‘ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન’ આજે સુરત ખાતે આવી પહોંચી હતી. 
રાષ્ટ્રસુરક્ષાના સંદેશ સાથે શરૂ થયેલી ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન ઐતિહાસિક
યાત્રાનું સુરતમાં ઉત્સાહપુર્વક ભવ્ય સ્વાગત કરાયુઃ
આ યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપીને ૩૧ માર્ચ ૨૦૨૫ના રોજ તામીલનાડુના કન્યાકુમારીના વિવેકાનંદ સ્મારક ખાતે સમાપ્ત થશે. ૧૧ રાજ્યોને આવરી લેતી અને ૬,૫૫૩ કિમી લાંબી આ ઐતિહાસિક સાયકલ યાત્રા ૭ માર્ચ, ૨૦૨૫ના રોજ ગુજરાતના લખપત અને પશ્ચિમ બંગાળના બકખલીથી બન્ને સ્થળોએથી શરૂ થઈ હતી. જે ૩૧ માર્ચ ૨૦૨૫ના રોજ તમીલનાડુના કન્યાકુમારી સ્મારક ખાતે સમાપ્ત થશે. આ ઐતિહાસિક સાયક્લોથોનનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય સુરક્ષામાં જાગૃતિ લાવવાનો છે, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ડ્રગ્સ, શસ્ત્રો અને વિસ્ફોટકોની દાણચોરી સામે જાગૃતિ ફેલાવવાનો છે. આ અભિયાન “સલામત દરિયા કિનારા, સમૃદ્ધ ભારત” થીમ હેઠળ દરિયાઈ સુરક્ષા, પર્યાવરણ સંરક્ષણ અને સમુદાય જાગૃતિનો સંદેશો પ્રસારિત કરવાનો છે. રાષ્ટ્રીય સુરક્ષાનો સંદેશો સાથેનું ઐતિહાસિક અભિયાનઃ આ ઓપરેશન માત્ર શારીરિક કૌશલ્ય અને હિંમતનું જ નહીં પરંતુ દેશના દરિયાકાંઠાના વિસ્તારના રક્ષણમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળની ભૂમિકા અને દેશની આર્થિક સમૃદ્ધિમાં તેના યોગદાનને પણ પ્રદર્શિત કરવાનો છે.
૧૪ મહિલાઓ સહિત ૧૨૫ સમર્પિત CISF જવાનો ૨૫ દિવસની યાત્રા જોડાય દરિયાઈ
 કિનારા પરની સુરક્ષાને મજબૂત બનાવવાનો સંદેશો આપી રહ્યા છે
 ભારતના વિશાળ દરિયાકાંઠા પર ૨૫૦ થી વધુ બંદરો આવેલા છે. જેમાંથી દેશના મુખ્ય બંદરોમાં ૭૨ બંદરોનો સમાવેશ થાય છે. તે જ સમયે, ભારતના કુલ વેપારનો ૯૫ ટકા સમુદ્ર માર્ગે થાય છે, જે હેઠળ મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલની આયાત કરવામાં આવે છે. આ સિવાય ભારતના મેરીટાઇમ ઝોનમાં ઓઇલ રિફાઇનરીઓ, શિપયાર્ડ અને ન્યુક્લિયર પાવર પ્લાન્ટની સુરક્ષા કરવાની પણ મોટી જવાબદારી છે. 
૧૧ રાજ્યોના ભમ્રણ કરી ૬,૫૫૩ કિમી લાંબી ઐતિહાસિક સાયકલ યાત્રા ગુજરાતના લખપત અને પશ્ચિમ બંગાળના બકખલીથી પ્રારંભ થયેલી કન્યાકુમારી પહોંચી સમાપન થશે
આ જવાબદારી નિભાવવામાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ મુખ્ય ભૂમિકા ભજવે છે. સુરત પહોંચતા, સાયકલ સવારોનું ઉત્સાહભેર સુરતવાસીઓએ દ્વારા સ્વાગત કરાયું હતું. રાત્રી વિરામ કર્યા બાદ તા.૧૮મીએ સવારે ૮.૦૦ વાગે સુરત ડાયમંડ બુર્સથી સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહેલૌતના હસ્તે સાયકલોથોન રેલીને આગળ દમણ તરફ જવા માટે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આ અભિયાન ફક્ત એક ક્રીડા ઇવેન્ટ નથી, પરંતુ દેશપ્રેમ અને રાષ્ટ્રસુરક્ષા માટેના અહેસાસનું પ્રતિક છે. 
સલામત દરિયા કિનારા, સમૃદ્ધ ભારત” થીમ હેઠળ દરિયાઈ સુરક્ષા, પર્યાવરણ સંરક્ષણ અને સમુદાય જાગૃતિનો સંદેશ પ્રસારિત કરતી ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન ઐતિહાસિક યાત્રાઃ
૧૪ મહિલાઓ સહિત ૧૨૫ સમર્પિત CISF જવાનો ૨૫ દિવસમાં યાત્રા પુર્ણ કરશે. આ યાત્રા દરિયાઈ કિનારા પર સુરક્ષાને મજબૂત બનાવવાના સંદેશ આપી રહી છે. આ સાયક્લોથોન ૩૧ માર્ચના રોજ તમિલનાડુના કન્યાકુમારી ખાતે સમાપ્ત થશે, જ્યાં સ્વામી વિવેકાનંદ સ્મારક પાસે સમાપન સમારોહ યોજાશે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top