સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત" થીમ અન્વયે અનોખી પહેલ સાથે સાયકલ રેલી યોજી સી.આઈ.એસ.એફ. દિવસની કરવામાં આવેલી ઉજવણી : જિલ્લામાં સાયકલીસ્ટોનું ઉષ્માભેર ઠેર- ઠેર સ્વાગત

0
સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત" થીમ અન્વયે અનોખી પહેલ સાથે સાયકલ રેલી યોજી સી.આઈ.એસ.એફ. દિવસની કરવામાં આવેલી ઉજવણી : જિલ્લામાં સાયકલીસ્ટોનું 
ઉષ્માભેર ઠેર- ઠેર સ્વાગત
ભારતના સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સને ૧૦ માર્ચના રોજ ૫૬ વર્ષ પૂર્ણ થતાં એક નવી પહેલ સાથે સી.આઈ.એસ.એફ. દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત “સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત" થીમ અન્વયે સાયકલ રેલીનો ૭મી માર્ચના રોજ ભારત સરકારના ગૃહ મંત્રી અને સહકાર મંત્રીશ્રી અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. જેમાં એક ગ્રુપ જે ગુજરાતના કચ્છ લખપતથી અને બીજું ગ્રુપ જે પશ્ચિમ બંગાળના બખ્ખાલી થી કુલ ૧૨૫ સીઆઇએફ ના કર્મચારીઓ જેમાં ૧૪ સાહસીક મહિલાઓએ ભાગ લીધો છે. જે અંદાજિત ૬૫૩૫ કિલોમીટર ભારતના દરિયાઈ કિનારાના વિસ્તારનું અંતર કાપશે. લખપતથી નીકળેલા ૭૫ સીઆઇએસએફ કર્મચારીઓ જેમાં ચાર સાહસીક મહિલાઓ તા.૧૬મી માર્ચના રોજ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કારેલી ગામે સાયકલ યાત્રિકો આવી પહોંચતા ધારાસભ્યશ્રી ડી કે સ્વામી દ્વારા ભવ્ય સ્વાગત સાથે પુષ્પમાળા પહેરાવી સન્માન કર્યું હતું. ઢોલ નગારા સાથે સાઇકલ વીરોને દાંડી યાત્રી નિવાસ કારેલી ખાતે લઈ જવામાં આવ્યા, ગ્રામજનો નાની બાળો દ્વારા પુષ્પવર્ષા દ્વારા સ્વાગત કરાયું હતું. ત્યારબાદ પ્રાથમિક શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. 
સી આઈ એસ એફની સાઇકલ રેલી જંબુસર તાલુકના કારેલી ગામે આવી પહોંચતા 
ધારાસભ્યશ્રી ડી.કે.સ્વામી દ્વારા સ્વાગત કરાયું.
જેમાં કંબોઈ અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ, સીઆઇએસએફ કમાન્ડર કૃતિકા નેગી, ઉપ કમાન્ડર વી.એસ. પ્રતિહાર, મામલતદાર જંબુસર, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, આગેવાન પદાધિકારી સર્વશ્રીઓ બળવંતસિંહ પઢિયાર,ચંદ્રકાંતભાઈ પટેલ, સહિત સરપંચ કારેલી, પીલુદરા, અગ્રણીઓ, સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તારીખઃ ૧૭મી માર્ચના રોજ વહેલી સવારે સાઇકલયાત્રા કારેલી થી નીકળી જંબુસર સરકીટ હાઉસ થઇ નાહીયેર ગુરૂકુલ ખાતે આવી પહોંચી હતી જયાં શાળાના વિધાર્થીઓ ધ્વારા સાયકલ યાત્રિકોનું ભવ્ય સ્વાગત કરાયું હતું ત્યાંથી સાયકલ યાત્રા આગળ વધતાં અસ્મિતા વિકાસ કેન્દ્ર –ત્રાલસા ખાતે સાયકલ યાત્રા આવી પહોંચી હતી. ત્યાં અસ્મિતા વિકાસ કેન્દ્ર –ત્રાલસાના મનોદિવ્યાંગ બાળકોએ પુષ્પવર્ષા કરી સાયકલ યાત્રિકોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ત્યાથી ભરૂચમાં એબીસી સર્કલથી એન્ટર થઈ નર્મદા નદીના કીનારે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. આગળ વધતા આ સાઈકલયાત્રા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ - અંકલેશ્વર" ખાતે પહોચી હતી. તેમણે ત્યાં વૃક્ષો વાવી ગ્રીન –ઈન્ડીયાની હીમાયત પણ કરી હતી. અંતે, તુલસી સ્કેવર અંકલેશ્વરમાં શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. આ કાર્યક્રમમાં નગરજનો અને પદાધિકારીઓએ તેઓનો ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રા અંકલેશ્વરથી વિદાઈ લઈ હાંસોટ થઈ સુરત જવા રવાના થઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ સાયકલ રેલીના બે પ્રારંભિક બિંદુઓ ગુજરાતના લખપત અને પશ્ચિમ બંગાળના બક્કાલીથી શરૂ કરીને કન્યાકુમારી સુધી અંદાજે તટીય વિસ્તારનું આશરે ૬૫૩૫ કિ.મી.નું અંતર કાપવામાં આવશે. જેમાં અનેક પડકારોનો સામના સાથે ૧૪ મહિલાઓ સહિત કુલ ૧૨૫ સી.આઈ.એસ.એફ.ના જવાનો ૨૫ દિવસની યાત્રા કરશે. આ સાયકલ રેલી ભારતના મુંબઈ, ગોવા, મેંગ્લોર, કોચી, હલ્દિયા, કોણાર્ક, વિઝાગ, ચેન્નાઈ, પોંડિચેરી સહિતના મુખ્ય દરિયાકાંઠાના શહેરોમાંથી પસાર થશે. તેમજ ૩૧ માર્ચ, ૨૦૨૫ના રોજ કન્યાકુમારીમાં સ્વામી વિવેકાનંદ સ્મારક ખાતે રેલીનું સમાપન થશે. કેન્દ્ર સરકાર હેઠળના ઔદ્યોગિક એકમોની સલામતી માટે રચવામાં આવેલું ખાસ દળ એટલે "કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ". તા.૧૦ માર્ચ ૧૯૬૯ના રોજ "કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ" (CISF)ની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં પોલાદનાં કારખાનાં, કોલસાની ખાણો, તેલ-શુદ્ધીકરણ માટેનાં કારખાનાં, વીજળી (ઉત્પન્ન કરતાં) મથકો, બંધો, એરપોર્ટ, દરિયાઈ બંદરો, પરમાણુ અને અંતરિક્ષ અનુસંધાન કેન્દ્રો, સરકારી ભવનો તથા અન્ય સંવેદનશીલ સંસ્થાઓની સુરક્ષા સી.આઈ.એસ.એફ. કરે છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top