જીલ્લાના યાત્રાધામ ચોટીલા મંદિરમાં ચૈત્રી નવરાત્રિને લઇ વિશેષ વ્યવસ્થા કરાઇ

0


જેમાં ૩૦ માર્ચથી ૬ એપ્રિલ સુધી સવારે ૫ વાગ્યે મંદિર ખુલશે, આરતી ૫:૩૦ કલાકે

સુરેન્દ્રનગર જિલ્લાના યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજીના મંદિરમાં ચૈત્રી નવરાત્રિ નિમિતે વિશેષ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે મંદિર પ્રશાસને 30 માર્ચથી 6 એપ્રિલ સુધી દર્શન, આરતીના સમયમાં ફેરફાર કર્યો છે. જયારે ચોટીલા ડુંગર પરના પગથિયા હવે સવારે 5 વાગ્યે ખુલશે અને માતાજીની પ્રથમ આરતી સવારે 5:30 કલાકે થશે તેમજ સંધ્યા આરતી રોજની જેમ સૂર્યાસ્ત સમયે યોજાશે. જયારે યાત્રાળુઓ માટે મંદિરના ભોજનાલયમાં ભક્તો માટે પ્રસાદ સવારે ૧૧ થી બપોરે ૨ વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. ત્યારે ચૈત્રી નવરાત્રી દરમિયાન ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. મંદિર પ્રશાસને ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમ મંદિર મહંત મનસુખગીરી ની એક યાદીમાં જણાવાયું છે. .

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top