સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરમાં નવા દરવાજા બહાર ફુલ ચોક સામે રવિ ભાણ સંપ્રદાયની સંત ગુલાબ સાહેબ ગુરૂ નરભેય સાહેબની જગ્યા આવેલી છે. ત્યારે આ જગ્યાના સાધુ મુકુંદબાપુ જદુરામબાપુ નો તા.૧૧-૩-૨૦૨૫ને મંગળવારે દેવલોક થયા હતા. શહેરના માર્ગો પર મંગળવાર બપોરે બે કલાકે સાધુની પાલખી યાત્રા ઢોલ નગારા સાથે નીકળી હતી. ત્યારે મોટી સંખ્યામાં ભક્તો અને લોકો પાલખી યાત્રામાં જોડાયા હતા. અને સાધુના અંતિમ દર્શન માટે લોકો ઉમટી પડ્યા હતા. દેવલોક થયેલા સાધુને વઢવાણ મોક્ષ ધામ કબીર આશ્રમ સામે આવેલા સ્થળે સમાધિ વિધિ કરવામાં આવી હતી. દેવલોક થયેલા મુકુંદ બાપુની જારદ વિધિ તા.૨૦-૩-૨૦૨૫ને ગુરૂવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે રાખવામાં આવી છે.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.