વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં

0

‘સૌને અન્ન, સૌને પોષણ’ના સંદેશ સાથે પી.એમ.ગરીબ કલ્યાણ અન્ન યોજના, ગંગાસ્વરૂપા સહાય, દિવ્યાંગ સહાય યોજના, ઉર્જા અને જળસંરક્ષણના બેનરો, કટઆઉટથી રૂટનું સુશોભન 
તા.૭મી માર્ચે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દિવ્યાંગજનો, ગંગાસ્વરૂપા બહેનો તેમજ વયોવૃદ્ધજનો-વડીલોના કલ્યાણ માટે આયોજિત કાર્યક્રમમાં સુરત આવી રહ્યા છે, ત્યારે સુરતના મહેમાન બનનાર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને આવકારવા સુરત સજ્જ બન્યું છે. તંત્ર દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
બે લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)નો લાભ વડાપ્રધાનશ્રીના હસ્તે આપવામાં આવશે
 તા.૭મીએ લિંબાયતના નીલગિરી ગ્રાઉન્ડ ખાતે બે લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)નો લાભ વડાપ્રધાનશ્રીના હસ્તે આપવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્ર, સુરત મહાનગરપાલિકા અને રાજ્યના પૂરવઠા વિભાગ દ્વારા સમારોહની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે, ત્યારે વડાપ્રધાનશ્રી ગોડાદરા હેલિપેડથી નીલગિરી વિસ્તારના જે રૂટ પર પસાર થવાના છે ત્યાં બ્યુટીફિકેશન, સર્કલોનું સુશોભન કરવામાં આવ્યું છે. વોલ પેઈન્ટીંગ, વિવિધ થીમ આધારિત તેમજ ‘સૌને અન્ન, સૌને પોષણ’ના સંદેશ આપતા બેનરો, પૂરવઠા વિભાગની વિવિધ યોજનાઓ, પી.એમ.ગરીબ કલ્યાણ અન્ન યોજના, ગંગાસ્વરૂપા સહાય યોજના, 

દિવ્યાંગ સહાય યોજનાને કેચ ધ રેઇન, ઉર્જા અને જળસંરક્ષણના બેનરો, કટઆઉટથી રૂટનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ સ્થળે તેમજ આગમનના રૂટ પર કાર્યક્રમને અનુરૂપ સુશોભન અને જરૂરી રંગરોગાન કરવામાં આવ્યું છે.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top