ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે કુદરતી ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ પગલાં ભર્યા છે. આ યોજનાનો હેતુ ખેડૂતોને કુદરતી ખાતર તરીકે જીવામૃત અને ઘન જીવામૃતના નિર્માણમાં સહાય પૂરું પાડવાનો છે, જેથી ખેતી વધુ પર્યાવરણમૈત્રી અને ખર્ચ અસરકારક બની શકે.
જીવામૃત અને ઘન જીવામૃત એ કુદરતી ખાતરો છે જે જમીનના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે, પાકની ઉપજ વધારવામાં સહાયક છે, તેમજ જમીનના pH અને સૂક્ષ્મજીવાણુઓના પ્રમાણમાં સુધારો લાવે છે. ગુજરાત સરકાર ગૌશાળાઓ, પાંજરાપોળો, સરકારી સંસ્થાઓ, સખી મંડળો અને ખેડૂત જૂથોને આ ખાતરો નિર્માણ કરવા માટે સહાય આપી રહી છે.ડેસર તાલુકામાં, આત્મા પ્રોજેક્ટ અંતર્ગત, હિંમતપુરા ગામના મહેન્દ્રભાઈ બાબુભાઈ ચૌહાણ અને ડુંગરીપુરાના પ્રભાતભાઈ લક્ષ્મણભાઈ ભોઈએ આ યોજનામાં નોંધણી કરી છે. મહેન્દ્રભાઈ ચૌહાણના ખેતરમાં 10 સભ્યોના સખી મંડળ દ્વારા જીવામૃત અને ઘન જીવામૃતના નિર્માણ માટેની સુવિધા સ્થાપિત કરવામાં આવી છે. બીજી બાજુ, પ્રભાતભાઈ ભોઈના ખેતરમાં ખેડૂત જૂથ દ્વારા આ કામગીરીનો સંચાલન થાય છે.
ઉમદા સેટઅપ માટે ત્રણ HDPE ટાંકીઓ ગોઠવી છે, જેમાં પ્રતિટાંકી 5000 લિટર ક્ષમતા ધરાવે છે. સાથે જ, એક સ્ટિરર, પ્લાસ્ટિકના કારબા, ડોલ, મજૂર અને જરૂરી સાધનોની વ્યવસ્થા પણ કરી છે. આત્મા પ્રોજેક્ટના સહયોગથી દરેક ખેડૂતોને રૂ. 60,000 ની સહાય આપવામાં આવી છે.આ પહેલથી ખેડૂતોમાં કુદરતી ખેતી માટે આત્મવિશ્વાસ વધ્યો છે અને તેઓ અન્ય ખેડૂતોને પણ આ પદ્ધતિ અપનાવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. આ યોજના ખેતીની ગુણવત્તા વધારશે અને લાંબા ગાળે પર્યાવરણને પણ અનુકૂળ રહેશે. ગુજરાત સરકારની આ પ્રયાસો રાજ્યના કૃષિ વિકાસમાં માઈલસ્ટોન સાબિત થશે.
જીવામૃત અને ઘન જીવામૃત એ કુદરતી ખાતરો છે જે જમીનના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે, પાકની ઉપજ વધારવામાં સહાયક છે, તેમજ જમીનના pH અને સૂક્ષ્મજીવાણુઓના પ્રમાણમાં સુધારો લાવે છે. ગુજરાત સરકાર ગૌશાળાઓ, પાંજરાપોળો, સરકારી સંસ્થાઓ, સખી મંડળો અને ખેડૂત જૂથોને આ ખાતરો નિર્માણ કરવા માટે સહાય આપી રહી છે.ડેસર તાલુકામાં, આત્મા પ્રોજેક્ટ અંતર્ગત, હિંમતપુરા ગામના મહેન્દ્રભાઈ બાબુભાઈ ચૌહાણ અને ડુંગરીપુરાના પ્રભાતભાઈ લક્ષ્મણભાઈ ભોઈએ આ યોજનામાં નોંધણી કરી છે. મહેન્દ્રભાઈ ચૌહાણના ખેતરમાં 10 સભ્યોના સખી મંડળ દ્વારા જીવામૃત અને ઘન જીવામૃતના નિર્માણ માટેની સુવિધા સ્થાપિત કરવામાં આવી છે. બીજી બાજુ, પ્રભાતભાઈ ભોઈના ખેતરમાં ખેડૂત જૂથ દ્વારા આ કામગીરીનો સંચાલન થાય છે.
ઉમદા સેટઅપ માટે ત્રણ HDPE ટાંકીઓ ગોઠવી છે, જેમાં પ્રતિટાંકી 5000 લિટર ક્ષમતા ધરાવે છે. સાથે જ, એક સ્ટિરર, પ્લાસ્ટિકના કારબા, ડોલ, મજૂર અને જરૂરી સાધનોની વ્યવસ્થા પણ કરી છે. આત્મા પ્રોજેક્ટના સહયોગથી દરેક ખેડૂતોને રૂ. 60,000 ની સહાય આપવામાં આવી છે.આ પહેલથી ખેડૂતોમાં કુદરતી ખેતી માટે આત્મવિશ્વાસ વધ્યો છે અને તેઓ અન્ય ખેડૂતોને પણ આ પદ્ધતિ અપનાવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. આ યોજના ખેતીની ગુણવત્તા વધારશે અને લાંબા ગાળે પર્યાવરણને પણ અનુકૂળ રહેશે. ગુજરાત સરકારની આ પ્રયાસો રાજ્યના કૃષિ વિકાસમાં માઈલસ્ટોન સાબિત થશે.