સુરેન્દ્રનગરમા ગુજરાત રાજ્ય ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગના સરકારી અને આઉટ સોર્સિંગ તરીકે કામ કરતા કર્મચારીઓના બદલીના આદેશ કરવામાં આવ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરમા ખનીજ વિભાગમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર, માઈન્સ સુપરવાઈઝર સહિતનાની બદલી કરાઇ છે.
વાત કરવામા આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ-ખનીજ વિભાગના નવ અધિકારીઓના એક સાથે બદલીના કરાયા આદેશ ગુજરાત રાજ્ય ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગના સરકારી અને આઉટ સોર્સિંગ તરીકે કામ કરતા કર્મચારીઓના બદલીના આદેશ કરાયો છે. જેમાં તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાનું ખનીજ ચોરી પ્રકરણ વિધાનસભામાં ગાજયું છે! સુરેન્દ્રનગરમા ખનીજ વિભાગમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર, માઈન્સ સુપરવાઈઝર સહિતનાની બદલી કરાઇ છે.
ત્યારે કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવતા સરકારે સુરેન્દ્રનગરમા ખનીજોના ગેરકાયદે ખનનની મોટી પ્રવૃતિ થતી હોવાની કબુલાત પણ કરી છે.! જીલ્લા માં કરોડો રૂપિયાનો કાળો કારોબાર ખનીજ માફિયાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. સરકારી તિજોરી ઉપર રોજનું કરોડો રૂપિયાનું નુકસાન આવા ખનીજ માફિયાઓ પહોંચાડી રહ્યા છે.! ખનીજ ચોરી મામલે વિધાનસભામાં ભીસમાં આવેલી વર્તમાન સરકારે એક્શન મોડ પસંદ કર્યો હતો.