સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના કંકાવટી રોડ ઉપર વન્ય જીવની લેવેચ કરતા હોવાની બાતમીના આધારે ઘુડખર અભ્યારણ ધ્રાંગધ્રાની ટીમે બે શખ્સોને ઝડપી કોર્ટમાં રજૂ કરતા બન્નેને રિમાન્ડમાં મોકલી દેવાયા છે.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ વન્ય જીવની લે વેચ કરવી એ ગુનો બનતો હોય છે ત્યારે ધ્રાંગધ્રાના કંકાવટી ગામના રોડ ઉપરની વાળીનાથ હોટલ પાસે સાપની લેવેચ કરતા હોવાની બાતમીના આધારે ઘુડખર અભ્યારણ ધ્રાંગધ્રા ડી.એફ.ઓ.આયુષ વર્મા અને મદદનિશ વન સંરક્ષક મનીષભાઈ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ સ્થળ ઉપર જઈ તપાસ કરી હતી.જ્યાં ધ્રાંગધ્રાના બે શખ્સો કુબેર સાપની લેવેચ કરતા ઝડપી લઈ ધ્રાંગધ્રા કોર્ટમાં બન્નેને રજૂ કરાયા હતા.કોર્ટે બન્નેને વધુ તપાસ માટે એક દિવસના રિમાન્ડ આપતા ઘુડખર અભ્યારણ ધ્રાંગધ્રાની ટીમે અગાઉ કેટલા કોને વન્ય જીવની લેવેચ કરી છે કે નહી એ બાબતની આગળની તપાસ હાથ ધરી છે.