સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનાં વેરા વિભાગે વેરા વસુલાત જુંબેસ હાથ ધરી

0
અંદાજીત રૂા.રપ લાખ જેટલાં મહાનગરપાલિકાનાં વેરાની વેરા વિભાગ દ્વારા વસુલાત કરવામા આવી 
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારનાં મોટા બાકીદારો દ્વારા વેરો ન ભરતા બાકીદારોની આખરે મિલકતને સીલ કરવા મહાનગરપાલિકાનાં વેરા વિભાગના કર્મચારીઓ કાર્યવાહી કરતા નજરે પડ્યા હતા. આ કાર્યવાહીમા દરમ્યાન અંદાજીત રૂા.રપ લાખ જેટલાં મહાનગર પાલિકાનાં વેરાની વેરા વિભાગ દ્વારા વસુલાત કરવામાં આવેલ હતી. 
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનાં વેરા વિભાગ દ્વારા તા.૧૮ માર્ચ ૨૦૨૫ નાં વેરાવેરા વસુલાત તથા મિલકત સીલ કરવા અંગેની ઝુબેસ હાથ ધરવામાં આવેલ હતી. આ કામગીરી દરમ્યાન મહાનગરપાલિકા વિસ્તારનાં મોટા બાકીદારો દ્વારા આજદીન સુધી વેરો ભરપાઇ કરવામાં ન આવતા બાકીદારોની મિલકતને સીલ કરવા સુરેન્દ્રનગર મહાનગર પાલિકાનાં વેરા વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.
જેમાં જોરાવરનગર લાતી બજારમાં આવેલ "વિજય ટ્રેર્ડસ" તેમજ રતનપર ખાતે આવેલ "કચ્છી કડવા પાટીદાર સમાજની વાડી"ને વેરો ભરપાઇ ન કરવા બદલ સીલ કરવામાં આવેલ હતું. આ સીલ કરવાની કામગીરી દરમ્યાન તા.૧૮ માર્ચ ૨૦૨૫નાં રોજ અંદાજીત રૂા.રપ લાખ જેટલાં મહાનગરપાલિકાનાં વેરાની વેરા વિભાગ દ્વારા વસુલાત કરવામાં આવેલ હતી. 
જયારે વધુમાં આગામી દિવસોમાં પણ જે મોટા બાકીદારોએ વેરો ભરપાઇ કરેલ નથી તેઓની મિલકતોને સીલ કરી વેરો વસુલાત કરવાની કાર્યવાહી વેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે તેમ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનાં વેરા વિભાગની એક અખબારી યાદીમાં જણાવાયું હતું. ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાની વેરા વસૂલાતની કાર્યવાહી બાકીદારોમા ફફડાટ વ્યાપી ગયો હતો.!
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top