ધ્રાંગધ્રા ટાઉનહોલ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શિક્ષણ બાબતને લઈને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે મુસ્લિમ એકતા મંચના ઈમ્તિયાઝ પઠાણ, જહાંગીર બાપુ દસાડા સ્ટેજ, શહેરની તમામ મસ્જિદોના આલીમ, મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત યુવાનો વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ તકે મુસ્લિમ એકતા મંચના ઈમ્તિયાઝ પઠાણે જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજે સંતાનોના શિક્ષણ પ્રત્યે કેટલા અસંવેદનશીલ છે, જેમાં મુસ્લિમ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવામા આવે છે કે ‘સરકારી નોકરીઓ મળતી નથી, મુસ્લિમો તેમની ભવ્ય મસ્જિદો અને દરગાહની બડાઈ હાંકે છે, જ્યારે તેમની શાળાઓ અને રહેણાંક વિસ્તાઓ વસવાટ માટે બિલકુલ અસુરક્ષિત છે,
ગંદકીથી ખદબદતા હોય છે. જ્યારે મુસ્લિમ યુવાનો અને ઘણી મહિલાઓએ યુવાનો અને મહિલાઓમાં વ્યસનની આદતો અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.મુસ્લિમ બૌદ્ધિકો તેમજ ધાર્મિક ગુરુઓ હવે ગાઢ નિંદ્રામાંથી જાગે મુસ્લિમોએ પોતાની પ્રાથમિકતાઓ બદલવાની જરૂર છે. નહીં તો આવનારા દિવસોમાં તેઓ પોતાને હાલ કરતા પણ વધુ ખરાબ અવસ્થામાં જોવા મળશે.(સલીમ ઘાંચી ધ્રાંગધ્રા
)