સુરેન્દ્રનગરના ભોગાવો રિવરફ્રન્ટ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એસ.ટી બસ અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બે યુવતીઓએ ઘટનાસ્થળે મોત નિપજયા હતા. જે અંગેની જાણ પોલીસ મથકે થતા પોલીસે લાશનો કબ્જો મેળવી પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગરના ભોગાવો રિવરફ્રન્ટ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એસ.ટી બસ અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બે યુવતીઓએ ઘટનાસ્થળે મોત નિપજયા હતા. જયારે બાઈક ચાલક યુવકને સામાન્ય ઈજાઓ થતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જયારે બસ અને બાઇક વચ્ચેના અકસ્માતના બનાવથી વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ જોવા મળ્યા હતા. આ બનાવના પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. અને અકસ્માત બાદ એસ.ટી બસનો ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં બે આશાસ્પદ યુવતીઓના અવસાનથી પરિવારજનોમાં શોકની લાગણી છવાયો હતો. પોલીસ મથકે થતા પોલીસે લાશનો કબ્જો મેળવી પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.