જાહેરનામું : મનપા દ્વારા બાવળ આડા નાખીને કોઝવે બંધ કર્યો

0
 
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ દુધની ડેરી પાસેના "વઢવાણ જડેશ્વર સોસાયટીથી આંબાવાડી મફતીયાપરા સુધી મેજર બ્રિજ પર તાબડ તોબ નોટિસ લગાવી પ્રવેશ પર પ્રવેશ પર પ્રતિબંધ/ડાયવર્ઝનનાં બરિકેટની જગ્યાએ બાવળનાં જૂંડ પાથરી દેવામાં આવ્યા. સામાન્ય રીતે પ્રશાસન અથવા કોન્ટ્રાકટર દ્વારા જાહેર માર્ગો પર કોઈ પણ પ્રકારની કામગીરી સમયે રાતના સમયે કોઈ અકસ્માત નાં સર્જાય જેને લઇ ને રિફલેક્ટર વાળા બેરિકેટ કે બેનર મૂકવામાં આવતાં હોય છે 
    પરંતુ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ દુધની ડેરી પારસેના "વઢવાણ જડેશ્વર સોસાયટીથી આંબાવાડી મફતીયાપરા સુધી મેજર બ્રિજ પર રિફલેક્ટર વાળા"પ્રવેશ પર પ્રતિબંધ/ડાયવર્ઝન " નાં સૂચનો વાળા બેરિકેટ ની જગ્યાએ બાવળ નાં જૂંડ પાથરી દેવામાં આવતાં પ્રશાસન નાં કામ સામે પ્રશ્નો ઉઠ્યા હતા.
    ઊલેખનિય છે કે અગાઉ તારિખ 03/01/2025 નાં રોજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ દુધની ડેરી પારસેના "વઢવાણ જડેશ્વર સોસાયટીથી આંબાવાડી મફતીયાપરા સુધી મેજર બ્રિજ પર પસાર થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત મેજર બ્રિજની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી મેજર બ્રિજ પરવાહનોના પ્રવેશ પર પ્રતિબંધ/ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું.
      વઢવાણ તરફથી આવતાં વાહનો માટે "ધોળીપોળથી ગેબનશાહ પીર વાળા રસ્તાનો ઉપયોગ કરવાનુ જણાવાયું હતુ તેમજ ગણપતિ ફાટસર તરફથી આવતા વાહનો માટે સુરેન્દ્રનગર બાયપાસથી ઉપાસના સર્કલ વાળા બ્રિજનો" રસ્તા તરીકે ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી હતી.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top