સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૧૫ ફેબ્રુઆરી થી તા.૦૪ માર્ચ સુધી યોજાનાર કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા અન્વયે પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા

0
પરીક્ષા સ્થળની આસપાસના ઝેરોક્ષ સેન્ટર બંધ રાખવાના રહેશે
સુરેન્દ્રનગર જિલ્લામાં કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા તા.૧૫.૦૨.૨૦૨૫ થી તા.૦૪.૦૪.૨૦૨૫ સુધી યોજનાર છે. આથી પરીક્ષાના સુચારૂ આયોજનરૂપે પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષા સ્થળની આસપાસના ઝેરોક્ષ સેન્ટરો કે દુકાનો બંધ રાખવા તેમજ અન્ય પ્રતિબંધાત્મક હુકમો અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામાં અનુસાર, પરીક્ષા સ્થળની આસપાસની ઝેરોક્ષની દુકાનો ફરજિયાત બંધ રાખવાની રહેશે. પરીક્ષા કેન્દ્રમાં સેલ્યુલર/મોબાઈલ/ઈલેકટ્રોનિક ગેઝેટસ જેવા તમામ ઈલેકટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવા તથા લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે તથા કેલ્ક્યુલેટર પરીક્ષા કેન્દ્રમાં ઉપયોગ કરવા કે લઈ જવા અંગે CBSE બોર્ડની અધ્યતન સૂચનાઓ અનુસાર પાલન કરવાનું રહેશે.
પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્રની આજુબાજુમાં ૪(ચાર) કે તેથી વધુ વ્યક્તિઓએ ઉભા રહેવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પરીક્ષાના દિવસે વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે પરીક્ષાના દિવસે સવારે ૦૯:૦૦ થી ૧૪:૩૦ કલાક દરમિયાન ખોદકામ (Olpping) કરવા ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ જાહેરનામાંનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. જો કોઈ આ હુકમનો ભંગ કરશે અથવા ભંગ કરાવવામાં મદદગારી કરશે તો ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં આર્મી પબ્લિક સ્કુલ - ધ્રાંગધ્રા, જવાહર નવોદય વિદ્યાલય – ધ્રાંગધ્રા, કેન્દ્રીય વિદ્યાલય – ધ્રાંગધ્રા, તિરૂપતિ ઈન્ટરનેશનલ સ્કુલ-સુરેન્દ્રનગર, સ્કુલ ઓફ એકસેલન્સ, સુરેન્દ્રનગર એમ ચાર પરીક્ષા કેન્દ્રો ખાતે કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા યોજાનાર છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top