તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓની બઢતી સાથે બદલીઓ કરવામાં આવી હતી. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટરની પણ બદલી કરાઈ હતી. ત્યારે જીલ્લા કલેક્ટર સુરેન્દ્રનગર શહેર વિવિધ સંગઠનો હોદેદારો દ્વારા કલેક્ટરનુ સન્માન કરવામાં આવી રહ્યું છે.ત્યારે સુરેન્દ્રનગરના કલેકટર કે.સી. સંપટની બઢતી સાથે બદલી ગાંધીનગર ખાતે થતા આર.ડી.સી. આર. કે. ઓઝા તથા કલેકટર કચેરીના કર્મચારીઓ તથા જય ઝાલાવાડ સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિયેશન સુરેન્દ્રનગરના સભ્યો દ્વારા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જય ઝાલાવાડ સીનીયર સીટીઝન ક્રિકેટ એસોસિયેશન સુરેન્દ્રનગર દ્વારા કલેકટર કે. સી. સંપટ સાહેબનું વિશેષ સન્માન પત્ર તથા બુકે આપી તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાને દરેક ક્ષેત્રે પોતાના કુશળ વહીવટ થકી આગલી હરોળમાં રાખવા ખૂબજ પ્રયત્નો કર્યા તે બદલ સાહેબનો આભાર ઉપસ્થિત આગેવાનોએ વ્યક્ત કરેલ તેમજ સેવાનો લાભ દરેક પ્રજાજનોને કાયમ માટે મળતો રહે તેવી શુભેચ્છા પાઠવેલ હતી.