વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા વિશ્વના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની છે અને એકતાનગર ખાતે પ્રવાસનને આકર્ષિત કરવા વિવિધ પ્રકલ્પોનું નિર્માણ કરવામાં આવ્યું છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી લેશર શો અને નર્મદાઆરતી અહિંનુ પ્રાકૃતિક સૌંદર્ય લીલીવનરાજી ગીરીકંદરા પ્રવાસીઓનું એક યાદગાર સંભારણું બની જાય છે સરદાર સરોવર ડેમ અને આસપાસનું પ્રાકૃતિક સૌંદર્ય નર્મદા નદીની રમણીયતા સૌંનુ મન મોહી લે છે. ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની સૂચિત મુલાકાત આગામી તા. ૨૬-૨૭-૦૨/૨૦૨૫ના રોજ બે દિવસ એકતાનગરના આંગણે યોજાનાર છે જે સંદર્ભમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમના આગમનને લઈને પ્રોટોકોલ મુજબની વ્યવસ્થા સુનિશ્વિત કરવા જિલ્લા કલેકટરશ્રી એસ.કે.મોદીએ જણાવ્યું છે.
તેમની આગેવાનીમાં ગઈકાલે તા. ૨૨/૨/૨૦૨૫ના રોજ સાંજે ૪-૦૦ કલાકે ગુરૂકુલ હેલીપેડ ખાતે જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને હેલીપેડથી સમગ્ર કાર્યક્રમના રૂટનું નિરીક્ષણ કરી જરૂરી વ્યવસ્થા સુનિશ્વિત કરવા મહત્વના સૂચનો કર્યા હતા અને તેમણે વ્યુઈંગ ગેલેરી, પ્રદર્શીનીકક્ષ લેશરશો, નર્મદા આરતી ગોરા ઘાટ, સ્કીલ ટ્રેનિંગ સેન્ટર વાગડીયા તેમજ અન્ય પ્રકલ્પોની મુલાકાત લેનાર છે તે સ્થળોની પણ સમીક્ષા ચર્ચા કરવામાં આવી હતી. એકતાનગર ખાતે માનનીય રાષ્ટ્રપતિશ્રીના આગમન સાથે જે વી.આઈ.પી મહાનુભાવો આવે છે તેમની પણ પ્રોટોકોલ મુજબની કામગીરી કરવા જણાવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ સફળ રીતે પાર પડે તેવી સૂચના આપી હતી અને એક ટીમવર્ક તરીકે સુંદર કામગીરી કરીને આ મુલાકાત એક યાદગાર બની રહે તેવી સૌએ ભૂમિકા અદા કરવાની છે.
માનનીય રાષ્ટ્રપતિના આગમનથી લઈને રવાના થાય ત્યાં સુધીની ચીવટ પૂર્વકની કામગીરી કરવા અપિલ કરી હતી. જિલ્લા કલેકટરશ્રી એસ.કે.મોદી દ્વારા આયોજીત સાંજની બેઠક અને મુલાકાત વેળાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેકટરશ્રી નારાયણ માધુ શ્રીગોપાલ બામણીયા, નાયબ કલેકટર પ્રોટોકોલશ્રી એન. એફ વસાવા, ડી વાય. એસ. પી શ્રી શર્મા અને વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ આ નીરીક્ષણ વેળાએ તથા બેઠકમાં સહભાગી થયા હતા