ચોટીલામાં સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિમાં દુકાનદારો વિરુદ્ધ કાર્યવાહી!

0
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં નાયબ કલેકટર એચ. ટી. મકવાણા અને તેમની ટીમે ત્રણ સસ્તા અનાજની દુકાનોની ઓચિંતી તપાસ કરતા તાલુકાની ઢોકળવા, દેવપરા અને ખેરાણા ગામમાં સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિઓ પકડાઈ હતી.
વાત કરવામાં આવે તો દેવપરા ગામની એફપીએસ દુકાનમાં ઘઉંમાં ૮૭ કિલો વધારો અને ચોખા-ખાંડમાં અનુક્રમે ૬૧ અને ૪૬ કિલોની ઘટ મળી હતી. આ ગેરરીતિની કુલ કિંમત રૂ. ૧૩૯૬૪ થાય છે. 
ખેરાણા ગામની દુકાનમાં ઘઉં, ખાંડ અને તુવેરદાળમાં ઘટ તથા ચોખામાં વધારો મળ્યો હતો, જેની કિંમત રૂ. ૧૦૨૮૦ છે. ઢોકળવા ગામની દુકાનમાં ઘઉં, ચોખા અને મીઠામાં ઘટ મળી હતી, જેની કિંમત રૂ. ૨૫૨૪ થાય છે. ત્યારે સુત્રોના જણાવ્યા મુજબ સરકારના નિયમ મુજબ આ ગેરરીતિ બદલ દુકાનદારોને જથ્થાની બમણી રકમનો દંડ કરવામાં આવશે! આથી ત્રણેય વાજબી ભાવના દુકાનદારો સામે વધ ધટ પડેલ જથ્થા અંતર્ગત તેમજ ગંભીર પ્રકારની ગેરરીતિ સામે ત્રણેય પરવાનેદારો સામે નિયમાનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top