સુરેન્દ્રનગર આઈ.ટી.આઈ ખાતે ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી

0
આઈ.ટી.આઈ સુરેન્દ્રનગર ખાતે ૭૬માં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધ્વજવંદનની સાથે સાથે તાલીમાર્થી ભાઈઓ - બહેનો દ્વારા દેશભક્તિની થીમ ઉપર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત સંસ્થા ખાતે યોજાયેલ સ્પોર્ટ્સ વીકમાં વિવિધ રમતોમાં વિજેતા ખેલાડીઓને સર્ટિફિકેટ, ટ્રોફી તથા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. ક્રિકેટ તથા વોલીબોલની વિજેતા ટીમ તેમજ રનર અપ ટીમ, મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સીરીઝની ટ્રોફી ટ્રાયલો ઇન્ટીમેસન તરફથી આપવામાં આવી હતી. સમગ્ર રાજકોટ રીજીયન આઈ.ટી.આઈ. કર્મચારીઓની ક્રિકેટ ટુર્નામેન્ટ પીડીલાઈટ કપમાં રનર અપ રહેલ આઈ.ટી.આઈ. સુરેન્દ્રનગરની ટીમને ટ્રોફી દ્વારા સન્માનિત કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ ધર્મેશ ચુડાસમા, મુકેશ જોગરાણા, કુરેશી, વર્ષાબેન માલી, દીપા શાહ, દિલીપ જોશી, દીપક રાઠોડ દ્વારા સફળ બનાવાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ડી. કે. જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંસ્થાના આચાર્ય વર્ગ-૧ શ્રી પરાગભાઈ શાહ, આચાર્ય વર્ગ-૨ શ્રી વિજય મકવાણા, જિલ્લાની જુદીજુદી આઈ.ટી.આઈ.ના આચાર્ય શ્રી જીગ્નેશ વસોયા, શ્રી રાણાભાઇ બાટી, સંસ્થાના ફોરમેન, તમામ કર્મચારી ગણ, નિવૃત્ત કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં તાલીમાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top