આઈ.ટી.આઈ સુરેન્દ્રનગર ખાતે ૭૬માં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધ્વજવંદનની સાથે સાથે તાલીમાર્થી ભાઈઓ - બહેનો દ્વારા દેશભક્તિની થીમ ઉપર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત સંસ્થા ખાતે યોજાયેલ સ્પોર્ટ્સ વીકમાં વિવિધ રમતોમાં વિજેતા ખેલાડીઓને સર્ટિફિકેટ, ટ્રોફી તથા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. ક્રિકેટ તથા વોલીબોલની વિજેતા ટીમ તેમજ રનર અપ ટીમ, મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સીરીઝની ટ્રોફી ટ્રાયલો ઇન્ટીમેસન તરફથી આપવામાં આવી હતી. સમગ્ર રાજકોટ રીજીયન આઈ.ટી.આઈ. કર્મચારીઓની ક્રિકેટ ટુર્નામેન્ટ પીડીલાઈટ કપમાં રનર અપ રહેલ આઈ.ટી.આઈ. સુરેન્દ્રનગરની ટીમને ટ્રોફી દ્વારા સન્માનિત કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ ધર્મેશ ચુડાસમા, મુકેશ જોગરાણા, કુરેશી, વર્ષાબેન માલી, દીપા શાહ, દિલીપ જોશી, દીપક રાઠોડ દ્વારા સફળ બનાવાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ડી. કે. જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંસ્થાના આચાર્ય વર્ગ-૧ શ્રી પરાગભાઈ શાહ, આચાર્ય વર્ગ-૨ શ્રી વિજય મકવાણા, જિલ્લાની જુદીજુદી આઈ.ટી.આઈ.ના આચાર્ય શ્રી જીગ્નેશ વસોયા, શ્રી રાણાભાઇ બાટી, સંસ્થાના ફોરમેન, તમામ કર્મચારી ગણ, નિવૃત્ત કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં તાલીમાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.