ધ્રાંગધ્રા શહેરમાં કરુણા અભિયાન અંતર્ગત સ્કૂલના બાળકોમાં પક્ષી બચાવો વિશે જાગૃતતા આવે તે હેતુથી યોજાયો કાર્યક્રમ

0
રાજ્યમાં ઉતરાયણ નો તહેવાર નજીક આવી રહ્યોછે ત્યારે 'કરુણા અભિયાન' અંતર્ગત આજરોજ સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રાની વિવિધ શાળાઓમાં  ઘુડખર અભયારણ્યના  અધિકારી દ્વારા ઉતરાયણના પર્વને અનુલક્ષીને  રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેમના વિભાગ દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓને ઉતરાયણ પર્વનું મહત્ત્વ તેમજ પક્ષીઓને બચાવવા અને પતંગથી થતાં નુકસાન અંગે યોગ્ય સમજણ આપી હતી.
આ તકે શાળાના સંચાલક આચાર્ય, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. શહેરની વિવિધ શાળામાં કરુણા અભિયાન કાર્યક્ર્મ અંતર્ગત વિદ્યાથીઓને વહેલી સવારે  તેમજ મોડી સાંજે પતંગ ન ઉડાડવા તેમજ પક્ષીઓ ડિસ્ટર્બ ન થાય તે માટે ફટાકડા પણ ન ફોડવા અને આપને કોઈ ઇજાગ્રસ્ત પક્ષી જોવા  મળે તો વિંભાગના અધિકારી તેમજ  પક્ષી બચાવો અભિયાન ના સભ્યો તેમજ  એનિમલ હેલ્પ લાઈનનો નંબર નો સંપર્ક કરવા જણાવ્યું હતું.આગામી દસ તારિખ સુધી જીલ્લામાં વનવિભાગ દ્વારા વિવિધ સ્કૂલોમાં કરુણા અભિયાન અંતર્ગત પક્ષી બચાવો અભિયાન વિશે માર્ગદર્શન આપવામાં આવશે. આજે યોજાયેલ કાર્યક્રમમાં વિદ્યાથીઓને પણ પક્ષી બચવો અભિયાન અંતર્ગત સંક્લ્પ લેવડાવવામાં આવ્યા હતા.
વહેલી સવારે તેમજ મોડી સાંજે પતંગ ન ઉડાવવા કરી અપીલ:ફટાકડા ન ફોડવા તેમજ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા માટે કર્યું સૂચન:ઇજાગ્રસ્ત પક્ષી જોવા મળે તો એનિમલ હેલ્પ લાઇન નંબર તેમજ પક્ષી બચાવો અભિયાનના ગ્રૂપનો સંપર્ક કરવા જણાવાયું

ધ્રાંગધ્રા શહેરમાં સાધના વિદ્યાલય અને તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીઓને ઉતરાયણ ના પર્વ નિમિત્તે  પક્ષીઓના બચાવ વિશે અપાયુ માર્ગદર્શન
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top