ડેપ્યુટી જનરલ મેનેજર શ્રીમતી ત્રિપાઠી મેડમે વર્ચ્યુઅલ દ્વારા સભાને સંબોધન સ્ટાફ સહીત પેન્શનરોને નવ વર્ષની શુભેચ્છાઓ પાઠવી
યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ, બ્રાન્ચ ઓફિસમાં ૭ જાન્યુ- ૨૦૨૫ના રોજ યાદગાર હયાતી પ્રમાણપત્ર માટેના કાર્યક્રમનું આયોજન કર્યુ આવ્યુ હતું. આ કાર્યક્રમમાં નિવૃત્ત સ્ટાફના સભ્યોને એકત્ર કરી પ્રશાસકીય પ્રક્રિયાઓ સાથે ઉષ્માભર્યા ઉત્સવનું સંયોજન કાર્ય જાવા મળ્યુ હતું.
આ તકે ડેપ્યુટી જનરલ મેનેજર શ્રીમતી મીનાક્ષી ત્રિપાઠી મેડમે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા સભાને સંબોધન કરી નવ વર્ષની શુભેચ્છાઓ પાઠવી,પેન્શનરોના દીર્ઘ, તંદુરસ્ત જીવન માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી. જયારે રિજનલ મેનેજર અજય રાવત દ્વારા પણ નિવૃત્ત સ્ટાફને વર્ચ્યુઅલ રીતે પ્રેરણાદાયક સંબોધન કરવામાં આવ્યું.
આ પ્રસંગે શાખા મેનેજર વિપુલ સોલંકી તેમની ટીમે તમામ નિવૃત્ત સ્ટાફને પરંપરાગત શાલ, ફૂલોથી સન્માનિત કરીને આ પળને યાદગાર બનાવી હતી. કાર્યક્રમની મહત્તાને વધારવા માટે બેન્કાશ્યોરન્સ ભાગીદાર સંસ્થાઓના શાખા મેનેજર્સની હાજરી પણ નોંધપાત્ર રહી હતી.
શાખા મેનેજર વિપુલ સોલંકી તેમની ટીમે તમામ નિવૃત્ત સ્ટાફને પરંપરાગત શાલ, ફૂલોથી સન્માનિત કર્યા
શાખાના નવા પ્રાંગણમાં નિવૃત્ત એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર એમ.એલ.ભટ્ટે શાખા મેનેજર વિપુલ સોલંકીને નિવૃત્ત કર્મચારીઓ વતી સન્માન માટે પવિત્ર "ખેસ" પહેરાવીને બહુમાન કરતા હાજર સૌના માટે એક લાગણીસભર ક્ષણ બની હતી. ત્યારે આ દ્રશ્યના કારણે ભૂતકાળના અને વર્તમાન સ્ટાફ સભ્યો વચ્ચેનું અતૂટ બંધન પ્રકાશિત થયું હતુ. આ પ્રસંગનું સમાપ્તિ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર યોગેશ વ્યાસ દ્વારા આભારવિધી સાથે થઈ હતી. જયારે આ યોજાયેલ ઇવેન્ટના મુખ્ય હેતુ તો પેન્શનરોના જીવનપ્રમાણપત્રો ઈશ્યૂ કરવાની પ્રક્રિયાને પૂર્ણ કરવાની, શાખાએ નિવૃત્ત સ્ટાફ સાથેના મજબૂત સંબંધોને જાળવી રાખવાની પ્રતિબદ્ધતાનો પુરાવો આપ્યો હતો. જયારે પેન્શનરોની ઉત્સાહી હાજરી અને વર્તમાન સ્ટાફની ભાગીદારી સાથે આ પ્રસંગે સંસ્થાકીય સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.