સુરેન્દ્રનગર આંબેડકર નં.3 રહેતા ચાવડા પરીવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં ધંધુકા પાસે આવેલું પીર ભડીયાદ ગામ જ્યાં હિન્દુ મુસ્લિમ આસ્થાનું પ્રતીક પીર મહેબુદશા બુખારી દાદાના ઉષૅની ઉજવણી કરવામાં આવે છે. જેમા મોરબી ધાંગધ્રા સુરેન્દ્રનગરથી મેદની લઈને પગપાળા જતા હોય છે. જેમાં આંબેડકર ચોક પાસે છેલ્લા ઘણા વર્ષોથી ચાવડા પરિવાર દ્વારા સેવા કેમ્પનું આયોજન કરે છે. જેમાં નાસ્તો લીંબુ શરબત ચોકલેટો પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે અને પગપાળા જતા લોકોનું ભવ્ય સ્વાગત કરવામાં પણ આવે છે અને દીપકભાઈ અરજણ ભાઈ ચાવડા મુકેશ ભાઈ પોપટભાઈ ચાવડા નિલેશ જયસુખભાઈ ચાવડા યુવા ગ્રુપ સાથે મહિલાઓ સહકાર આપે છે. લોકો બહોળી સંખ્યામાં લાભ લે છે વધુમાં લલિતભાઈ ચાવડા જણાવ્યું હતું કે પીર ભડીયાદ મહેમુદશૉહ દરગાહ હિન્દુ મુસ્લિમ આસ્થાનું પ્રતીક છે.મુસ્લિમ બિરાદરો પગપાળા જતા હોય છે. તેમની સેવા કરવામાં હર્ષની લાગણી અનુભવીએ છીએ અને મહેમુદશાહ બુખારીની કૃપા દ્રષ્ટિ અમારી ઉપર રહે છે.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.