કચ્છના માંડવી તાલુકાના ગોધરા (અંબેધામ) રહેની ૨૮ વર્ષીય યુવતી તા. ૩૦-૧૨ના રોજ સવારે ફરજ પર જવા નીકળી ત્યારે એક તરફી પ્રેમમાં પાગલ યુવાને તેની પાસે રહેલી ગુપ્તી અને તલવારના ઘા કરી હત્યા કરી હતી. આ કેસમાં સીટની રચના કરવા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર તા.૬ જાન્યુઆરી -૨૦૨૪ને સોમવારે આપવામાં આવ્યું હતુ.
આ અંગે આવેદનપત્ર જણાવાયું આવ્યું હતું કે, કચ્છના ગોધરા (અંબેધામ) માં રહેતી ૨૮ વર્ષીય ગૌરીબેન તુલસીભાઈ ગરવા તુંબડી પીએચસીમાં (કરાર આધારીત) નોકરી કરતી હતી. ત્યારે તા. ૩૦ ડીસેમ્બર -૨૦૨૪ના રોજ સવારે તે ફરજ પર જવા નીકળી ત્યારે એક તરફ પ્રેમમાં પાગલ કોડાઈ ગામના સાગર રામજીભાઈ સંધારે તેના પેટમાં ગુપ્તી મારી, તલવારના આડેધડ ઘા મારી હત્યા કરી હતી. આ બનાવ બાદ સાગરે પોતે પણ ઝેરી દવા પી લૈઈ દવાખાને સારવાર માટે પહોંચ્યો હતો. ત્યારે આ કેસમાં તટસ્થ તપાસ થાય તે માટે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં સોમવારે લેખીત આવેદનપત્ર અપાયુ છે. આ આવેદનપત્રમાં ગુરૂ બાહ્મણ સમાજના આગેવાનો સ્વીશંકરભાઈ પંડયા, હરીલાલ શ્રીમાળી, એ.પી.જોષી, અશોકભાઈ ચાવડા, વિનુભાઈ ધંધુકીયા, ગીરીશભાઈ જોષી, ડી.સી.પંડયા સહિતનાઓના જણાવાયા મુજબ આ કેસ સંવેદનશીલ હોઈ તેની એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવે. જયારે દિકરી પરીવારનો આધારસ્થંભ હોઈ તેના પરિવારજનોને રહેમરાહે નોકરી અને મુખ્યમંત્રી રાહત કંડમાંથી એક કરોડ વળતર આપવા માંગ કરાઈ છે. આ ઉપરાંત આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા, હત્યામાં એક કરતા વધુ આરોપીઓ હોવાની શંકા પણ વ્યક્ત કરાઈ છે.